ઊના પંથક ગીર જંગલથી તદન નજીક આવેલ હોવાથી જંગલમાં વસવાટ કરતા સિંહો હવે જંગલ કરતા ગ્રામ્ય વિસ્તારમાં માનવ વસાહતની વચ્ચે તેમનું રહેઠાંણ કરી નાખેલ હોય ઉના ગીરગઢડા પંથકના ખાપટ, વડવિયાળા, જુડવડલી વિસ્તારમાં સિંહોના દર્શન રોજીંદા થતાં હોય છે. ત્યારે એક સિંહ પરીવાર રાત્રીના સમયે શિકારની શોધમાં લટાર મારવા નિકળેલ ત્યારે એક સાથે ૧૦ જેટલા સિંહનો પરીવાર વાડીમાં કુદીને પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ ત્રણ ગામોના મોટાભાગના લોકો સિંહ પ્રેમિ હોય તેમ લગભગ સિંહ દર્શનનો લ્હાવો માણતા હોય છે.


