બ્રિટેન
ભારતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોનાની શરૂઆત બાદ આ પ્રથમ વખત છે કે નવા કેસોની સંખ્યામાં આટલો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૧,૨૫૯ નવા કેસ સામે આવ્યા છે અને ૩૫ લોકોના મોત થયા છે. જ્યાં ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો બીજી તરફ ચીન અને બ્રિટનમાં આ વાયરસના કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. વધતા જતા કેસોને જાેતા ચીનના શાંઘાઈ શહેરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બ્રિટનમાં પણ છેલ્લા બે અઠવાડિયાથી નવા કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આ બે દેશોમાં કોરોના વધવાનું કારણ સ્ટેલ્થ ઓમિક્રોન વેરિઅન્ટ છે. ચાલો જાણીએ કે આ પ્રકાર શું છે અને તેના કારણે કોરોના કેમ વધી રહ્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ મ્છ.૨ને સ્ટેલ્થ ઓમિક્રોન કહેવામાં આવે છે. આ પ્રકાર સામાન્ય ઓમિક્રોન વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. ભારતમાં ચેપની ત્રીજી લહેર દરમિયાન ઓમિક્રોનની સાથે સ્ટેલ્થ ઓમિક્રોન પણ ફેલાયો હતો, પરંતુ તે પછી આ પ્રકાર ચીન કે બ્રિટન સુધી પહોંચ્યો ન હતો. હવે આ તમામ પ્રકારો આ દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેના કારણે ત્યાં ચેપના નવા કેસ સતત વધી રહ્યા છે. જાે કે રાહતની વાત એ છે કે ભલે આ પ્રકારનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે, પરંતુ તે હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના કેસોમાં વધારો કરી રહ્યો નથી. સ્ટેલ્થ ઓમિક્રોન પણ તેના મૂળ પ્રકાર જેવું જ છે. તે અત્યંત ચેપી છે, પરંતુ જીવલેણ નથી. કોવિડ નિષ્ણાત ડૉ. યુદ્ધવીર સિંહનું કહેવું છે કે ભારતમાં આગામી ચારથી છ મહિના સુધી કોરોનાની કોઈ નવી લહેર આવવાની શક્યતા ઘણી ઓછી છે. તેનું કારણ એ છે કે અહીં ત્રીજી લહેર દરમિયાન મોટી વસ્તી ઓમિક્રોનથી સંક્રમિત થઈ છે. આ સાથે રસીકરણ પણ ચાલી રહ્યું છે. કુદરતી ચેપ અને રસીથી રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં આવે છે, જે આગામી ચારથી છ મહિના સુધી ટકી શકે છે. તેથી ગભરાવાની જરૂર નથી.


