ઊનાના સામતેર ગામના આંબેડકર નગર વિસ્તારમાં આવેલ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે રાખેલ લોખંડના ખાટલાની ચોરી થઇ હોવાની ગામમાં ભારે ચકચારે સાથે લોકોમાં રોષ ફેલાયેલ હતો. જોકે છેલ્લા એકાદ માસમાં ગામમાં સ્મશાનમાં લોખંડના ખાટલા ચોરીની બીજી ઘટના બનતા લોકોમાં ભારે રોષ ઉઠી રહ્યો છે. ત્યારે આ બાબતે ચોરી કરનાર શખ્સોને પકડી પાડવા પોલીસમાં ફરીયાદ કરવા તજવિજ હાથ ધરેલ છે.


