ગિરગઢડા
ભરત ગંગદેવ..
શ્રી પોરબંદર લોહાણા મહાજન તથા શ્રી છાયા લોહાણા મહાજન ના શુભેચ્છા સહકાર / માર્ગદર્શન સાથે લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર દ્વારા આયોજિત તૃતીય જલારામ સમૂહ લગ્નોત્સવ 2022 (વિનામૂલ્ય) માં રઘુવંશી પરિવાર ની પાંચ દિકરીઓ ના શુભ લગ્ન અવસર લોહાણા મહાજન વાડી ભદ્રકાળી રોડ પોરબંદર ખાતે તારીખ૧૭-૪-૨૦૨૨ રવિવારે ભવ્ય રીતે યોજાયેલ હતા
આ અવસરે જ્ઞાતિ અગ્રણીઓ વડીલો દાતાઓ ખાસ ઉપસ્થિત રહેલ દીકરીઓને ૭૫ થી વધુ કરિયાવર આઈટમો દાતાઓ તેમજ આયોજક સંસ્થા તરફથી ગિફ્ટ આપવામાં આવેલ તેમજ એક દીકરી ના પીતા નહિ હોવાથી કન્યાદાનની વિધિ ભરતભાઈ પોપટ પરિવાર તરફથી કરેલ હતી
આ અવસરે પોરબંદર લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા છાયા લોહાણા મહાજન પ્રમુખ લલિતભાઈ કોટેચા રાજેશભાઈ લાખાણી એડવોકેટ પોરબંદર લોહાણા મહાજન મંત્રી જ્ઞાતિ અગ્રણી હસુભાઈ બુધદેવ હર્શિતભાઈ રૂઘાણી ભરતભાઈ લાખાણી એડવોકેટ ભરતભાઈ પોપટ વિજયભાઈ ઉનડકટ વિજયભાઈ લાખાણી (જામરાવલ વાળા) હિતેશભાઈ કારિયા હાર્દિકભાઈ લાખાણી કમળાબેન કોટેચા ટ્રસ્ટી કમળાબેન મનુભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ યોગેશભાઈ પોપટ (ટ્રસ્ટીશ્રી) પ્રકાશભાઈ રૂપારેલ (વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ) કિશોરભાઈ દત્તાણી પ્રમુખ ભાટિયા લોહાણા મહાજન તેમજ સેવાભાવી પ્રતિનિધિ સુરેશભાઈ કોટેચા (ગોંડલ) જયેશભાઈ સોમેયા (જેતપુર) હસમુખભાઈ દતાણી (જામખંભાળીયા) જયંતીભાઈ સુબા ( કોડીનાર) સુધીરભાઈ માખેચા (રાજકોટ) શ્રીમતી ચેતનાબેન મીશ્રાણી (જુનાગઢ)અનિષ રાચ્છ વેરાવળ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવયા હતા
શાસ્ત્રી અનિલભાઈ સાતા (લાલાભાઇ) તેમજ ટીમ દ્વારા લગ્ન વિધિ કરાવેલ તેમજ સમગ્ર કાર્યક્રમનું માઇક સંચાલન સંસ્થાના વ્યવસ્થાપક મેમ્બર હિતેશભાઈ ઉનડકટ તેમજ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના પ્રકાશભાઈ રૂપારેલ તેમની આગવી શૈલીમાં સંભાળેલ હતું
સંસ્થાના સુરેશભાઈ બારાઈ હરીશભાઇ પોપટ હિતેશભાઈ ઉનડકટ મહેશભાઈ મદલાની યશવંતભાઈ પોપટ ધીરુભાઈ ઠકરાર હરીશભાઇ ઠકરાર વિનેશભાઈ ચોલેરા નિલેશભાઈ લાખાણી રોહિતભાઈ ઠકરાર સહિતનાઓએ સાથે મળી ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમ ઉલ્લાસમય બનાવેલ


