સાગર નિર્મળ
જૂનાગઢ
ભારત સરકારશ્રીનાં રાજ્યસભા તથા લોકસભા સ્ટેન્ડિંગ કમિટીની વિઝીટ ગુજરાત રાજ્ય ખાતે તા.01.05.2022 થી તા.03.05.2022 દરમિયાન યોજાવાની છે. તે દરમિયાન તા.03.05.2022 નાં રોજ સક્કરબાગ પ્રાણીસંગ્રાલય જૂનાગઢ ખાતે આ તમામ માનનીય સાંસદ સભ્યશ્રીઓની તથા ભારત સરકાર અને રાજ્ય સરકારનાં અધિકારીની સ્ટડી ટુર પોગ્રામ યોજવાનો હોવાથી તેમજ આ પોગ્રામમાં વી.વી.આઈ.પી. મહાનુભાવોની હાજરી રહેવાની હોય ત્યારે તેઓ શ્રીની સુરક્ષા અને સલામતી ધ્યાને રાખીને તા.03.05.2022 નાં રોજ સવારે 8 કલાકથી બપોરે 2 કલાક સુધી સક્કરબાગ પ્રાણીસગ્રહાલય મુલાકાતી તેમજ પ્રવાસીઓ માટે બંધ રહશે જ્યારે બપોરના 2 વાગ્યા બાદ સક્કરબાગ પ્રાણીસગ્રહાલય મુલાકાતી તેમજ પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ખુલ્લું રહશે તેમ સક્કરબાગ પ્રાણીસગ્રહાલયનાં નિયામકની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.


