નવીદિલ્હી
હવે એક વર્ષમાં ૨૦ લાખ રૂપિયાથી વધુના બેંકિંગ વ્યવહારો માટે ઁછદ્ગ અને આધાર ફરજિયાત કરવામાં આવ્યા છે. બોર્ડે મેની શરૂઆતમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે હવે ગ્રાહકોએ એક વર્ષમાં ૨૦ લાખ રૂપિયાથી વધુ જમા કરવા અથવા ઉપાડવા માટે ફરજિયાતપણે તેમના પાન અને આધાર કાર્ડ રજૂ કરવા પડશે. આવકવેરા નિષ્ણાતોનું કહેવું છે કે કરચોરી રોકવામાં આ પગલું સફળ થશે. તેમણે કહ્યું કે આ નિયમથી વ્યવહારોમાં પારદર્શિતા વધશે. તેમજ હવે બેંકો, પોસ્ટ ઓફિસ કે સહકારી મંડળીઓએ ૨૦ લાખથી વધુના વ્યવહારોની માહિતી આપવી પડશે. આ સિવાય હવે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરંટ એકાઉન્ટ અથવા કેશ ક્રેડિટ એકાઉન્ટ ખોલવા માટે ગ્રાહકે પોતાના ઁછદ્ગ અને આધારની માહિતી પણ આપવી પડશે. હાલમાં, આવકવેરા વિભાગના કેસોમાં દરેક જગ્યાએ પાનનો ઉપયોગ થાય છે. દરેક કરદાતા માટે ટેક્સ પોર્ટલ પર તેમનું પાન કાર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જાે કે, નવા નિયમમાં ગ્રાહકોને થોડી છૂટ આપવામાં આવી છે, જે આવતીકાલથી અમલમાં આવશે. સીબીડીટીએ કહ્યું છે કે આ પગલું માત્ર કરચોરી રોકવા માટે લેવામાં આવી રહ્યું છે. જાે બેંકમાં ટ્રાન્ઝેક્શન કરતી વખતે કોઈ વ્યક્તિ પાસે પાન કાર્ડ નથી, તો તે આધારની બાયોમેટ્રિક ઓળખ આપી શકે છે. ટેક્સ નિષ્ણાતો કહે છે કે મોટા વ્યવહારોમાં ઁછદ્ગ વિગતો આપવાથી કરચોરીને રોકવામાં સરળતા રહેશે અને સરકારની આવકમાં વધારો થશે.કરદાતાઓ અને મોટા ટ્રાન્ઝેક્શન કરનારાઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (ઝ્રમ્ડ્ઢ્) એ તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ૨૬ મેથી ટ્રાન્ઝેક્શન સંબંધિત આવકવેરા નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે.