Delhi

હવે કોઈ રેસ્ટોરન્ટ તમારી પાસે સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે

નવીદિલ્હી
કન્ઝ્‌યૂમર અફેર્સ મિનિસ્ટ્રીએ ગુરુવારે રેસ્ટોરન્ટ દ્વારા વસૂલવામાં આવતા સર્વિસ ચાર્જને ગેરકાયદે ગણાવ્યો હતો અને નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઑફ ઈન્ડિયાને આ ચાર્જને તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. સર્વિસ ચાર્જ વસૂલવાથી ગ્રાહકો પર પ્રતિકૂળ અસર પડી રહી છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, આ વસૂલાત સાથે કોઈ કાનૂની બાબત જાેડાયેલી નથી કે ગ્રાહકો પાસેથી ચાર્જ લેવામાં આવે છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ અંગે કાનૂની ફોર્મ્યુલેશન લાવશે. ગ્રાહકોની ફરિયાદો બાદ મંત્રાલયે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે ૨ જૂને એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં રેસ્ટોરન્ટ દ્વારા વસૂલવામાં આવતા સર્વિસ ચાર્જને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટ્‌સ સામાન્ય રીતે કુલ બિલ કરતા ૧૦ ટકા સર્વિસ ચાર્જ લે છે. મંત્રાલયે તાજેતરમાં બેઠક બોલાવતી વખતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડીઓસીએ દ્વારા સંખ્યાબંધ મીડિયા અહેવાલો તેમજ નેશનલ કન્ઝ્‌યુમર હેલ્પલાઇન (દ્ગઝ્રૐ) પર ગ્રાહકો દ્વારા નોંધાયેલી ફરિયાદોની નોંધ લેવામાં આવી હતી અને પરિણામે આ બેઠક કરવામાં આવી છે.” તાજેતરમાં જ એનઆરએઆઈને લખેલા પત્રમાં ગ્રાહક બાબતોના વિભાગના સચિવ રોહિતકુમાર સિંઘે ધ્યાન દોર્યું હતું કે રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનો ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ ડિફોલ્ટ રીતે વસૂલી રહી છે. તેમ છતાં આવા કોઈ પણ ચાર્જની વસૂલાત સ્વૈચ્છિક અને ગ્રાહકોની મરજી પ્રમાણે છે અને કાયદા મુજબ ફરજિયાત નથી. વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રાહકોને પણ આવા આરોપોની કાયદેસરતા અંગે ખોટી રીતે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને બિલની રકમમાંથી આવા ચાર્જને દૂર કરવાની વિનંતી કરવા પર રેસ્ટોરન્ટ્‌સ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે. “આ મુદ્દો દૈનિક ધોરણે મોટા પાયે ગ્રાહકોને અસર કરે છે અને ગ્રાહકોના અધિકારો પર નોંધપાત્ર અસર કરે છે. તેથી વિભાગે ઝીણવટભરી અને વિગતો સાથે તેની તપાસ કરવી જરૂરી ગણાવી હતી.” કન્ઝ્‌યૂમર અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એપ્રિલ ૨૦૧૭માં હોટલો અને રેસ્ટોરન્ટ દ્વારા સર્વિસ ચાર્જ વસૂલવા અંગેની માર્ગદર્શિકા પ્રકાશિત કરી હતી. જે અનુસાર, ગ્રાહકોની રેસ્ટોરન્ટમાં એન્ટ્રીને સર્વિસ ચાર્જમાં સામેલ કરી શકાય નહીં. માર્ગદર્શિકા અનુસાર, ગ્રાહક ગ્રાહક તરીકેના તેના અધિકારોનો ઉપયોગ કરવા માટે હકદાર છે, જેને અન્યાયી/પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓના કિસ્સામાં કાયદાની જાેગવાઈઓ હેઠળ સુનાવણી અને નિવારણ કરવામાં આવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહકો ગ્રાહક વિવાદ નિવારણ કમિશન/ યોગ્ય અધિકારક્ષેત્રના ફોરમનો સંપર્ક કરી શકે છે.

India-Ministry-of-Consumer-Affairs-Service-charge.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *