ગિરગઢડા તા 16
ભરત ગંગદેવ.
મૂળ અમદાવાદ મણીનગરનાં ક્રિશ્ર્નાબેન અનીલભાઈ ઠકકર હાલમાં પોતાની જોબ અર્થે અમેરિકાના શિકાગો સીટીમાં રહે છે.સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલ છે અને પરમ જલારામ ભકત છે.તેઓ પોતાની આવકમાંથી દર મહિને નાનીમોટી રકમ ડીસા જલારામ મંદિરમાં ફરજીયાત બેંક ટ્રાન્સફરથી મોકલે છે.ડીસાના અમારા પરમ મિત્ર અને હાલે અમદાવાદ રહેતા શ્રી દીલીપભાઈ ઠકકર દ્રારા આ મેસેજ પણ અમને દર મહિને નિયમિત મળતો રહે છે.હજારો કિલોમીટર દૂર દરિયાપાર હોવા છતાં અને અમેરિકામાં રહેતાં હોવા છતાં ક્રિશ્ર્નાબેન ઠકકરે પૂજ્ય બાપા પ્રત્યેની આસ્થા,શ્રધ્ધા અને વિશ્ર્વાસને ભારતીય સંસ્કૃતિ અનુરૂપ મજબૂત રીતે ટકાવી રાખેલ છે.સત્કાર્ય માટે દર મહિને પોતાની આવકમાંથી ભગવાનનો ભાગ કાઢતાં ક્રિશ્ર્નાબેન ઠકકર વંદન..અભિનંદનને યોગ્ય છે.તેમના જીવનમાંથી દેશ કે વિદેશમાં વસતા અનેક ભારતીયો પણ બોધ લઈ શકે તેવું આ પ્રેરણાદાયી સત્કર્મ છે..
ક્રિશ્ર્નાબેન ઠકકરનું
