સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ખંભાળિયા દ્વારા પૈગમ્બરે ઈસ્લામ ની વિરૂધ્ધ ટીપણી કરનાર ફ્રાન્સના પ્રમુખ ના સંદર્ભમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ખંભાળિયા માં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ખંભાળિયા દ્વારા ભારત ના રાષ્ટ્રપતિ ને સંબોધીને દેવભૂમિદ્વારકા જીલ્લા કલેકટર ને લેખીત મા આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં જણાવવામાં આવેલ છે કે તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેકક્રોન દ્વારા ઈસ્લામ ના મહાન પૈગમ્બર સાહેબ ને કાર્ટુન મા દર્શાવવાનુ અપમાન જનક પ્રર્વુતિ ઓને યોગ્ય ગણાવી વિશ્ર્વના મુસ્લીમોની ધાર્મીક લાગણી ને ઠેસ પહોચાડેલ છે જેનો અમો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આપ સાહેબ પાસે અમારી લાગણી છે કે આવી ધાર્મીક બાબતો સવદનશીલ હોય છે તેને ઠેસ પહોચાડવી તે અશાંતિ ઊભી કરવી સમ્માન દે છે અને વિશ્ર્વસ્ત્રે કોઈપણ ધર્મના મહાપુરૂષો નુ અપમાન કે કોઇપણ ધર્મના ધર્મસ્થાન નુ ખંડન કરવુ તે શહીસુર્ણતા ઉપર વાર અને માનવતા અને ભાયચારા વિરૂધ્ધ નુ પગલા સમાન હોય જેથી આ બાબતે ધટીત કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવેલ છે
આ આવેદનપત્ર આપતી વખતે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હુસેનભાઈ ભોકલ, ઉપપ્રમુખ રહીમભાઈ ચાકી, કાદરભાઈ ખત્રી, અબ્દુલબાપુ, ઇરફાન અન્સારી, પત્રકાર મુસ્તુફા સુમરા, એડવોકેટ મુસ્તાક સોઢા, હાજર રહ્યા હતા રિપોર્ટર વિતલ પીસાવાડિયા


