ગિરગઢડા
ભરત ગંગદેવ.
દર ગુરૂવારે અસંખ્ય જલારામ ભકતો સાંજની મહા આરતી તેમજ ખીચડી-કઢીના પ્રસાદનો હોંશેહોંશે લાભ લે છે ત્યારે વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ પણ દર્શનનો લાભ લે છે.ગત ગુરૂવારે ડીસા લાયન્સ કલબના પ્રમુખ ઈશ્ર્વરભાઈ ગેલોત, મંત્રી દિપકભાઈ જૈન,પ્રગતિ અભિવાદન ગ્રુપના લલીતભાઈ દોશી,રાજુભાઈ વકીલ (નોટરી),સ્ત્રી સમાજ ડીસાનાં પ્રમુખ ડો.કિશોરીબેન પટેલ,મંત્રી દીપીકાબેન ખત્રી,વિશ્ર્વ હિંદુ પરિષદના પ્રમુખ જયેશભાઈ સોની,મંત્રી આકાશભાઈ ઘેરવ સહિત તમામ સંસ્થાઓની ટીમ જલારામ મંદિરે પધારતાં પ્રમુખ/મંત્રીશ્રીઓનું “જલારામ દર્શન ” ગ્રંથ તેમજ ફૂલછડીથી વાજતેગાજતે દબદબાભેર સન્માન કરાયું હતું.
આ અવસરે જય જલારામ ટ્રસ્ટ, જલારામ સત્સંગ મંડળ,જલારામ સેવા મંડળ તેમજ શુભેચ્છક ગ્રુપ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, દયારામભાઈ આર.ઠકકર,આનંદભાઈ પી.ઠક્કર, બળદેવભાઈ રાયકા,જયેશભાઈ દેસાઈ, આર.ડી.ઠકકર,તારાચંદભાઈ મજઠીયા,કમલેશભાઈ આચાર્ય, અમરતમામા,કમલેશભાઈ રાચ્છ,દીલીપભાઈ રતાણી સહિત ખૂબ મોટી સંખ્યામાં જલારામ ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સૌએ જલારામ બાપાનાં દર્શન કરી મહાઆરતી તેમજ ખીચડી-કઢીના મહાપ્રસાદનો લાભ લીધો હતો.જલારામ મંદિર ડીસાની ભોજન અને આરોગ્યની સદપ્રવૃતિઓની પણ સૌએ ભરપેટ સરાહના કરી હતી.

