જોડિયા તાલુકાના ભીમકટા ગામે રહેતા ખેડૂત અજયસિંહજી બળવંતસિંહજી જાડેજા જણાવે છે કે, હું ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરું છું. આ ખેતી કરવાથી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને આવકમાં વધારો થાય છે. તેઓ ચણાના પાકનું વાવેતર કરે છે. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, વગેરેનો ઉપયોગ કરે છે. અને પ્રાકૃતિક ખેતી કરવાથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક બમણી કરવી તે જલ્દીથી સાકર થશે. અને ખેડૂતોને પણ ફાયદો થશે.

