જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રહેતા મહિલા ખેડૂત દિપ્તી બહેન જણાવે છે કે, સજીવ ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છીએ. રાસાયણિક ખાતરોની જગ્યાએ જીવામૃત, ગાયનું છાણ, પંચતત્વો મારફતે ખેતી કરવાથી જમીનની ફળદ્રૂફતા પણ વધે છે અને ખર્ચ પણ ઓછો થાય છે. અમે માંડવી તેમજ તુવેળ, મગ, ચણા, ચોળી જેવા અલગ અલગ કઠોળનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છીએ સાથે સરકાર દ્વારા પણ પ્રોત્સાહન મળી રહે છે. અને અમે બધાને પણ એ જ સૂચન આપી છીએ કે સજીવ ખેતી કરવી જોઈએ.

