ગીર સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ સ્થળએ કરી શકાય છે અને તે પણ માત્ર રૂ.૨૫ ના નજીવા ખર્ચે થઈ શકે છે. શાસ્ત્રો કહે છે કે તીર્થસ્થાનમાં કરવામાં આવતી ભક્તિ અનેક ગણું વધુ પુણ્ય આપે છે. જ્યારે ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરની સામે બનાવવામાં આવેલ યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞના યજમાન બની શકે છે. સોમનાથ તીર્થના પૂજારીઓ યજ્ઞમાં યજમાનને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે જાેડે છે. યજમાનને તલ વગેરે આહૂતિ દ્રવ્ય પણ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે. સોમનાથ મંદિરની સામે આવેલી યજ્ઞશાળામાં ભક્તો મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપે છે. શાસ્ત્રો અનુસાર મહાદેવના સાનિધ્યમાં થઈ રહેલો આ મહામૃત્યુંજય યજ્ઞ ભક્તોને તેઓ રાજવી યજ્ઞ કરી રહ્યા હોય તેવો અનુભવ કરાવે છે. શિવના ભક્ત ઋષિ મૃકંડુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે ઋષિ મૃકંડુને તેમની ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું પરંતુ ઋષિ મૃકંડુને કહ્યું હતું કે પુત્ર તેના માટે જન્મેલા અલ્પજીવી હશે. જ્યારે શિવની કૃપાથી ઋષિ મૃકંડુને પુત્રનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓએ કહ્યું કે આ બાળકની ઉંમર માત્ર ૧૬ વર્ષ હશે. આ સાંભળીને ઋષિ મૃકંડુ ચિંતિત થઈ ગયા હતા. ત્યારે તેમના પત્નીએ કહ્યું કે જાે મહાદેવની કૃપા હશે તો તેઓ આ વિધાનને પણ મુલતવી રાખશે. ઋષિએ પોતાના પુત્રનું નામ માર્કંડેય રાખ્યું અને તેને શિવ મંત્ર પણ આપ્યો. માર્કંડેય હંમેશા શિવની ભક્તિમાં લીન રેહતા. જ્યારે અંતિમ સમય નજીક આવ્યો ત્યારે ઋષિ મૃકંડુએ તેમના પુત્ર માર્કંડેયને તેમના ટૂંકા જીવન વિશે જણાવ્યું સાથે જ તેમણે કહ્યું કે જાે શિવજી ઈચ્છે તો તે મુલતવી રાખશે. તેમના પ્રત્યેની માતા-પિતાની ચિંતા દુર કરવા બાળ માર્કંડેયએ દીર્ઘાયુનું વરદાન મેળવવા માટે શિવજીની ઉપાસના શરૂ કરી દીધેલ તેમજ આયુષ્યનું વરદાન મેળવવા માટે મહામૃત્યુંજય મંત્ર નું ઉચ્ચારણ શરૂ કર્યું હતું. શિવ મંદિરમાં બેસીને આ મંત્રના અખંડ જાપ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે સમય પૂરો થયો ત્યારે યમદૂત માર્કંડેયના પ્રાણ લેવા આવ્યા પરંતુ તેમને શિવની તપસ્યામાં લીન જાેઈને તેઓ પાછા યમરાજ પાસે આવ્યા અને આખી વાત કહી. પછી યમરાજ પોતે માર્કંડેયના પ્રાણ લેવા આવ્યા હતા. ત્યારે યમરાજે માર્કંડેય પર પોતાનો પાશ છોડ્યો એ સમયે બાળ માર્કંડેય શિવલિંગને ભેટી ગયા હતા. આવી સ્થિતિમાં યમરાજનો પાશ શિવલિંગ પર પડ્યો હતો. પોતાના ભક્ત પર યમરાજના આક્રમણથી શિવજી ખૂબ ગુસ્સે થયેલ અને ભગવાન શિવ બાળ માર્કંડેયને યમરાજથી બચાવવા પ્રગટ થયા હતા. યમરાજે તેમને વિધિના વિધાનની યાદ અપાવી તો શિવજીએ માર્કંડેયને લાંબા આયુષ્યનું વરદાન આપીને વિધિના લેખ બદલી નાખ્યા હતા. આવી છે મહાદેવના મહામૃત્યુંજય મંત્રની શક્તિ છે, જેનો યજ્ઞ સોમનાથ મંદિરના સાનિધ્યે ભક્તો માટે શરૂ કરાયો છે. મહામૃત્યુંજય યજ્ઞ લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. ખાસ કરીને પ્રભાસ ભૂમિ પર સોમનાથ મહાદેવે ચંદ્રદેવનો ક્ષય રોગ પણ મટાડ્યો હતો. ભગવાન કૃષ્ણ આ ભૂમિ પર તેમની છેલ્લી લીલા કરીને વૈકુઠ ગયા હતા. ભગવાન પરશુરામે આ ભૂમિને પોતાના તપોબળથી પુણ્યશાળી બનાવી છે. આવી સ્થિતિમાં સોમનાથ તીર્થમાં મહામૃત્યુંજય યજ્ઞ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જ્યાં ભોલેનાથ ભક્તને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યનું વરદાન આપે છે. સોમનાથ મહાદેવના દર્શન સાથે જ્યોતિર્લિંગની સામે બેસીને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લેનાર તમામ ભક્તો તેમના હૃદયમાં શીતળતા અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. અને અન્ય ભક્તોને પણ અનુરોધ કરે છે કે તેઓ જ્યારે પણ સોમનાથ આવે ત્યારે મહામૃત્યુંજય યજ્ઞમાં અચૂક આહુતિ આપી જાેડાઈ છે. તો હવે, જ્યારે પણ તમે સોમનાથ આવો ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર સામે ચાલતા મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ આપીને પુણ્ય પ્રાપ્ત કરી શકો તેવા યજ્ઞનો લ્હાવો લેવા અપીલ કરતા ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, મહામૃત્યુંજય યજ્ઞનું ખાસ શ્રાવણ માસ પુરતું જ આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે શ્રાવણ માસના દસ દિવસમાં ૪ હજારથી ભક્તોએ આ યજ્ઞમાં આસ્થાભેર જાેડાઈને ધન્યતા પ્રાપ્ત કરી છે.


