Gujarat

સુરેન્દ્રનગર- વિરમગામ હાઈવે પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં ૩ લોકોના મોત

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના લખતરના કડુ ગામના એક યુવાનને તાવ આવતો હતો. જે યુવાનની તબીયત વધારે લથડતાં અન્ય બે યુવાનો રાત્રે ચાર વાગ્યાના અરસામાં તેને હોસ્પિટલ લઇ જવા બાઇક લઇને નીકળ્યા હતા. યુવકને સારવાર અર્થે લઇને નીકળેલા બંને મિત્રોને ક્યાં ખબર હતી કે આગળ મોત ઉભું છે. તેમ ગામથી થોડે આગળ જતાં જ હાઇવેની સાઇડમાં ઉભેલી એક બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી ગયું હતું. બાઇક ટ્રકની પાછળ ઘૂસતાં જ ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ પોલીસ અને ૧૦૮ને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે એમ્બ્યુલન્સ વાનમાં ત્રણેય યુવકોના મૃતદેહોને પી.એમ અર્થે લખતરની સરકારી હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાની નાના એવા કડુ ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર લખતરના કડુ ગામ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. એક યુવકને તાવ આવતો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા તે દરમિાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ત્રણેય યુવકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *