Gujarat

આશાદીપ દ્વારા ગળતેશ્વર તાલુકાના નવ ગામોમાં વૃક્ષારોપણ કરાયું.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.26 ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના વસો, કુણી, વનોડા, જરગાલ, કોસમ, અંબાવ, લહેરીપુરા, અંઘાડી અને પડાલ જેવા ગામોમાં સ્વૈચ્છિક આગેવાનો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.  કુણી અને વસો ગામે પ્રાથમિક શાળામાં જ્યારે અન્ય ગામોમાં જાહેર જગ્યાઓ તથા અન્ય સ્થળોએ વૃક્ષો રોપવામાં આવ્યાં હતા. જે જે ગામોમાં વૃક્ષારોપણ થયું તે ગામોમાં રોપાયેલા વૃક્ષોનું જતન થતું રહે તે માટે આશાદીપના નિયામક ફાધર જ્હોન કેનેડીએ પોતાના સ્ટાફને સચેત કર્યો હતા. જો કે  આ મુદ્દે સ્થાનિક આગેવાનો તથા શિક્ષકશ્રીઓએ કટિબદ્ધતા દર્શાવી હતી. પ્રસ્તુત  કાર્યક્રમ માટે મેનપુરા વનવિભાગ તરફથી યથાયોગ્ય સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.

IMG-20220827-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *