સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
ગીર સોમનાથ જીલ્લા તથા અન્ય જીલ્લા/શહેરમાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલમાંથી વચગાળાના જામીન/પેરોલ ઉપર મુકત થઇ નાશી ગયેલ આરોપીઓને પકડી પાડવા સારૂ *ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ* નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે અનુસંધાને
વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા પો. કોન્સ. રોહીતભાઇ જગમાલભાઇ તથા નદીમભાઇ શેરમહંમદભાઇ તથા અસ્પાકભાઇ અલ્લાંરખાંભાઇ તથા ભગીરથસિંહ ભુપતસિંહ* નાઓ આજરોજ કોમ્બીંગ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન *પો. કોન્સ. નદીમભાઇ શેરમહંમદભાઇ* ને મળેલ બાતમી હકીકત આધારે *વેરાવળ બસ સ્ટેશન ખાતેથી રાજકોટ શહેર ગાંધીગ્રામ-૧ પો.સ્ટે. ગુ.ર.નં.ફર્સ્ટ-૧૮૦/૨૦૧૭ આઇપીસી ક.-૩૦૨ મુજબના ગુનાના આરોપી-અજયસિંહ પ્રધ્યુમનસિંહ વાળા દરબાર, ઉ.વ.૩૦, ધંધો.ડ્રાઇવીંગ, રહે.રાજકોટ શહેર, બજરંગ વાડી* વાળો ઉપરોકત ગુનાના કામે રાજકોટ જેલમાં હોય અને સને-૨૦૨૦ માં પેરોલ રજા ઉપર મુકત થયેલ હોય અને પેરોલ રજાની મુદત પુરી થતા રાજકોટ જેલ ખાતે હાજર નહી થઇ છેલ્લા બે વર્ષથી ફરાર થઇ ગયેલ હોય જેને *આજરોજ નાઇટ રાઉન્ડ દરમ્યાન બાતમી હકીકત આધારે પકડી પાડી રાજકોટ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરેલ છે.હોવાની વિગતોસોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


