Gujarat

ચેકથી લઈને ડિજિટલ પેમેન્ટ સુધી, રિઝર્વ બેંક ગવર્નરની 10 મોટી જાહેરાતો

RBIની 10 મોટી જાહેરાત

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે ક્રેડિટ પોલિસીની સમીક્ષાની જાહેરાત કરી છે. RBIએ આ વખતે પણ વ્યાજદરોમાં કોઈ જ ફેરફાર કર્યા નથી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફ્રન્સમાં આની જાહેરાત કરી. પરંતુ રિઝર્વ બેંકે સામાન્ય જનતાની સુવિધાઓને વધારવા માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.

તમને જણાવી દઈએ કે, આરબીઆઈની નજર નાણાકીય ખોટને ઓછી કરવા ઉપર છે. એક્સપર્ટ આને લઈને પહેલા જ અંદાજો લગાવી રહ્યાં હતા કે, વ્યાજ દરોમાં કોઈ જ રીતનું પરિવર્તન કરવામાં આવશે નહીં. ઉલ્લેખનિય છે કે, સામાન્ય બજેટ 2021-22 રજૂ થયા પછી પ્રથમ વખત રિઝર્વ બેંકે ક્રેડિટ પોલીસીની સમીક્ષા કરી છે.

1. વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં 

આરબીઆઈએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી, આનો અર્થ તે છે કે, રેપો રેટ હજી 4% અને રિવર્સ રેપો રેટ 3.5 % રહેશે.

2. બધી શાખાઓમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ)

રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, ચેક ટ્રંકેશન સિસ્ટમ

(સીટીએસ) તમામ બેંકોની તમામ શાખાઓમાં લાગુ કરવામાં આવશે. હાલમાં, લગભગ 18,000 શાખાઓમાં આ સુવિધા નથી.

3. નાના રોકાણકારો પણ ગિલ્ટ ખાતા ખોલી શકશે

શક્તિકંતા દાસે કહ્યું કે હવે સામાન્ય રોકાણકારોને પણ રિઝર્વ બેંકમાં ગિલ્ટ ખાતું ખોલવાની સુવિધા આપવામાં આવશે. નાના રોકાણકારો હવે પ્રાઈમરી અને સેકેન્ડરી સરકારી બોન્ડમાં રોકાણ કરી શકશે. આ પગલાથી નાના રોકાણકારોને નિશ્ચિત આવકના સલામત વિકલ્પમાં રોકાણ કરવાની તક મળશે. તેમની પાસે હવે બેંકની ફિક્સ ડિપોઝિટ સિવાય સલામત રોકાણ કરવાનો વિકલ્પ રહેશે.

4. ડિજિટલ પેમેન્ટ માટે 24-કલાકની હેલ્પલાઇન

રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ સર્વિસમાં લોકોને આવતી કોઈપણ પ્રકારની મુશ્કેલીને પહોંચી વળવા માટે, બધા પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોએ 24×7 હેલ્પલાઇન શરૂ કરવી પડશે.

5. એક દેશ એક લોકપાલ

રિઝર્વ બેંકના ગવર્નરે જણાવ્યું હતું કે હાલમાં બેંકો, એનબીએફસી અને નોન-બેંક પ્રીપેડ ચૂકવણી આપનારાઓ (પીપીઆઇ) માટે ત્રણ અલગ લોકપાલ (ઓમ્બડ્સમેન) છે. આ માટે રિઝર્વ બેંકે લગભગ 22 લોકપાલ ઓફિસો સ્થાપિત કરી છે. આ માટે, દરેકને એકીકૃત કરીને’એક દેશ એક લોકપાલ’ ની સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

6. અર્થવ્યવસ્થા ડબલ ડિજિટમાં દોડશે

રિઝર્વ બેંકે આગામી નાણાકીય વર્ષ 2021-22માં જીડીપીમાં 10.5 ટકાનો વિકાસ થવાનો અંદાજ મૂક્યો છે. આરબીઆઈએ કહ્યું કે કોવિડ રસીકરણ અભિયાન શરૂ થવાને કારણે અર્થવ્યવસ્થા ગતિ મેળવશે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ, સર્વિસિસ અને કમ્પોઝિટ ખરીદી મેનેજર્સનું ઈન્ડેક્સ સુધરી રહ્યું છે. ગ્રોથ માટે સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. આથી એમપીસીએ આ વખતે ગ્રોથને સપોર્ટ આપવા માટે ફોકસ કર્યું છે.

7. મોંઘવારી વધશે

રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે છૂટક મોંઘવારી 2 ટકાના સુવિધાજનક સ્તરથી નીચે છે. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ છ મહિના માટે છૂટક ફુગાવાનો(છૂટક મોંઘવારી) અંદાજ 5 ટકાથી વધારીને 5.2 ટકા કર્યો છે. અગાઉ તે 4.6 થી 5.2. ટકા હતો.

8. રિયલ એસ્ટેટમાં સુધાર

આરબીઆઈના ગવર્નરે કહ્યું કે ધીમે ધીમે મકાનોના વેચાણમાં સુધારો થયો છે, આ સાથે લોકોની ખર્ચ ક્ષમતા પણ ફરી સુધરી રહી છે. સામાન્ય બજેટ તાજેતરમાં રજૂ કરવામાં આવ્યું છે, જેનાથી રોકાણની સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.

9. સીઆરઆર વધશે

રિઝર્વ બેંકે કહ્યું કે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ આગામી બે તબક્કામાં તેને વધારીને 4 ટકા કરવામાં આવશે. તે 27 માર્ચ સુધીમાં 3.5 ટકા અને 22 મે સુધીમાં 4 ટકા થશે.

10. સહકારી બેંકોને મજબૂત બનાવવી

શક્તિકાન્ત દાસે કહ્યું કે સહકારી બેંકોને વધુ મજબૂત બનાવવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવશે જે સૂચવશે કે આ ક્ષેત્રને કેવી રીતે મજબુત બનાવવું અને આ માટે કયા કાનૂની ફેરફારો જરૂરી છે.

shaktikanta-das-s.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *