Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,  દ્વારા ગીર સાવજ ચણા, ઘઉં અને વરીયાળી(સર્ટીફાઈડ/ ટ્રુથફુલ)બિયારણનું વેચાણ આરંભ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રવી-૨૦૨૨-૨૩ ઋતુમાં વાવેતર માટે ચણા GJG-6  અને ઘઉં GW-451 અનેGJW-463જાતનું સર્ટિફાઇડ/ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) બિયારણનું વેચાણ હાલમાં વહેલાતે પહેલાના ધોરણે ચાલુ છે.

ચણામાં GJG-6નું બિયારણ મેગાસીડ, જૂનાગઢ, કેવીકે,તરઘડીયા(રાજકોટ),કેવીકે,નાના કાન્ધાસર(ચોટીલા) અને કેવીકે,મોરબી ખાતેથી, જયારે ઘઉંમાં GJW-463નુંબિયારણ કેવીકે, અમરેલી ખાતેથી,અને GW-451નું બિયારણ મેગાસીડ, જૂનાગઢ, કેવીકે, ખાપટ(પોરબંદર) અને કેવીકે, અમરેલી ખાતેથી મળી રહેશે. આ ઉપરાંત, કૃષિ પોલીટેકનીક,હળવદ ખાતેથી વરીયાળી,ગુજરાત વરીયાળી-૧૧ નું વિતરણ પણ વહેલાતે પહેલાના ધોરણે ચાલુ છે.વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, જૂ.કૃ.યુ., જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *