રાધનપુર-ભિલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ બનાવવા ૫૩ કરોડ ફાળવ્યા રેલ્વે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ ૪૪૦ કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજ કન્સ્ટ્રક્શન કામગીરી હાથ ધરાશે ગુજરાત રાજ્ય સરકારના ૫૦ ટકા ફાળા તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ ૨૨૦ કરોડ રૂપિયા ફાળવાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ અન્વયે અમદાવાદ રેલવે […]
Author: JKJGS
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અમરેલીમાં ૧૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલિટી ધર્મજીવન હોસ્પિટલનો શુભારંભ
ભાવિ પેઢીના નિર્માણ માટે શિક્ષા, સ્વાસ્થ્ય અને સંસ્કારની શ્રેષ્ઠ પરંપરા ચાલતી રહે તે જ રાષ્ટ્ર ઉન્નતિ સાધે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સંતોએ અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં હોય તેવી અદ્યતન સુવિધાસભર હોસ્પિટલની અમરેલીને ભેટ આપી છે : રાજ્યપાલ શ્રી ભારતમાં સાધુ, સંતો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આરોગ્ય સેવાની આગવી પરંપરા રહી છે ઃ […]
વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન
વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન વન્ય પ્રાણી વિભાગ સાસણના નાયબ વનસંરક્ષક શ્રી ડો. મોહન રામે કર્યું હતું. તેઓએ જણાવ્યું કે આજનો આ માર્ગદર્શન કાર્યક્રમ આવતા દિવસોમાં સિંહ સરક્ષણ અને સિંહ જાગૃતિ માટે મહત્વનો સાબિત થશે. હું આપ સૌની સાથે ભલે […]
ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો
સમરસ ગર્લ્સ હોસ્ટેલ, ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને આજે માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જાેઈએ તે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઈ […]
દિલ્હીમાં કોંગ્રેસના નવા મુખ્ય કાર્યાલયના ઉદ્ઘાટન પર રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન બાબતે એફઆઈઆર નોંધવામાં આવી
કોંગ્રેસના દિલ્હી સ્થિત નવા મુખ્ય કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર વિવાદ જાેર પકડી રહ્યો છે. તેમના નિવેદન સામે ભાજપ તેમને ચારે બાજુથી ઘેરી રહી છે. હવે શનિવારે (૧૮ જાન્યુઆરી) તેમના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ એફઆઈઆર આસામની રાજધાની ગુવાહાટીમાં નોંધવામાં આવી છે. આ એફઆઈઆરમાં રાહુલ ગાંધી […]
લગ્ન પહેલાજ યુવાનનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોકની લાગણી
દિલ્હીના ગાઝીપુરથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી દિલ્હીના ગાઝીપુરમાં એક ખુબ જ દુઃખદ ઘટના બની હતી જેમાં લગ્ન પહેલા જ એક યુવાનનું પોતાની ગાડીના અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સંબંધીઓ અને મિત્રોને લગ્નના કાર્ડ વહેંચવા માટે કારમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનું દર્દનાક મૃત્યુ થયું. જ્યારે તે યુવાન પોતાની કારમાં ગાઝીપુર […]
હિમાચલ પ્રદેશમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી પર્યટકનું મોત
હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા ફરવા ગયેલી ગુજરાતની એક ૧૯ વર્ષીય યુવતી પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માતનો ભોગ બની હતી. ગુજરાતની મહિલા પ્રવાસી અને પેરાગ્લાઈડિંગ પાઈલટ બંને ટેક ઓફ પોઈન્ટ પરથી નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલા પ્રવાસીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રવાસીનું […]
કેન્દ્ર સરકાર પછાત વર્ગોના ઉત્થાન માટે હંમેશા તત્પર છેઃ શ્રી રામદાસ આઠવલે
વડોદરા જિલ્લાના પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવારણ કરવા સંબંધિત અધિકારીઓને સુચન કર્યું ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી રામદાસ આઠવલે વડોદરાની એક દિવસની મુલાકાતે આવ્યાછે.તેમણે સર્કિટ હાઉસ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારે સામાજિક […]
એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ૧૯૯૧ની બેચના IPS ડો. શમશેર સિંહને BSFમાં નિમણૂંક કરવામાં આવી
કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ગુજરાત કેડર નાIPS ડો. શમશેર સિંહની BSFમાં નિમણૂંક કરવામાં આવી છે. જેઓ ૧૯૯૧ની બેચના IPS અધિકારી છે. જેઓ વર્તમાનમાં એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. મ્જીહ્લમાં છડ્ઢય્ તરીકે ડો.શમશેર સિંહની નિમણૂંક કરવામાં આવી છે. જેમણે છઝ્રમ્ ગુજરાતમાં ખુબ સારી કામગીરી કરી છે. સાથો સાથ તેઓ એક આગવી છાપ પણ ધરાવે છે. […]
હવામાન વિભાગનું એલર્ટ જાહેરઃ દિલ્હી, યુપી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૦ જાન્યુઆરીએ ઉત્તરાખંડ, બિહાર અને ઓડિશાના વિવિધ વિસ્તારોમાં સવારે અને મોડી રાત્રે ગાઢ ધુમ્મસની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ૧૯ અને ૨૦ જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેશે. આ સિવાય પૂર્વ રાજસ્થાનમાં ૧૯-૨૧ જાન્યુઆરી દરમિયાન ગાઢ ધુમ્મસ રહેશે. તે જ સમયે, ૨૧ જાન્યુઆરીએ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ […]










