Gujarat

જામનગરના ઉદ્યોગકારોએ વીજ સમસ્યા અંગે રજૂઆત કરી

જામનગર નજીક આવેલા દરેડ જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારોએ લાંબા સમયથી યથાવત રહેલી વીજ સમસ્યાના ઉકેલ માટે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું છે. ઉદ્યોગકારોએ સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શ્યામ વિહાર તથા સિદ્ધનાથ સોસાયટી તરફ જતી વીજ લાઇનોના તાર અત્યંત ઢીલા અને […]

Gujarat

ખેડૂતો, ઉત્પાદકો અને પરંપરાગત કૃષિ વારસાને કાયદાકીય રક્ષણ મળશે અને કૃષિ આધારિત સાહસો માટે નવી તકો ઊભી થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાત તેના પરંપરાગત કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સતત નવા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યું છે, અને તેના દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ના વિઝનને સાકાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં સ્થિત ઊંઝાના પ્રખ્યાત મસાલાઓ એટલે કે ઊંઝાનું જીરું અને ઊંઝાની […]

Gujarat

અમદાવાદ સેશન્સ કોર્ટે આપ્યો મોટો ચુકાદો!!

૨૦૧૯મ એલ.જી હોસ્પિટલ કેમ્પસમાં ઘૂસીને હત્યા કરવાના કેસમાં ૬ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ કોર્ટે ૪૮ સાક્ષીઓ અને ૪૮ દસ્તાવેજી પુરાવાઓના આધારે ૬ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી વર્ષ ૨૦૧૯માં શહેરના મણીનગર વિસ્તારમાં આવેલ એલ.જી હોસ્પિટલના કેમ્પસમાં ઘૂસીને કરવામાં આવેલી સનસનીખેજ હત્યાના કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે […]

Gujarat

દેવાના બોજથી કંટાળીને ભરૂચમાં ક્લાસ-વન અધિકારીએ જીવન ટૂંકાવ્યું

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં માત્ર એક મહિના અગાઉ જ બદલી થઈને આવેલા આયોજન વિભાગના ક્લાસ-વન (ઝ્રઙ્મટ્ઠજજ-૧) સરકારી અધિકારીએ આર્થિક સંકટ અને દેવાના બોજથી પરેશાન થઈને ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આપ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે મળતી માહિતી મુજબ, મળતી માહિતી મુજબ, પિયુષભાઈ ઉકાણી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર […]

Gujarat

ઉના ST ડેપોના એક કંડક્ટર મચ્છીના પાર્સલ લેવા પેટે ૨૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા

ગીર સોમનાથ છઝ્રમ્ પોલીસ સ્ટેશન દ્વારા ઉના ST ડેપોના એક કંડક્ટર મચ્છીના પાર્સલ લેવા પેટે ૨૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. આ મામલે મળતી માહિતી મુજબ, આ કામના ફરિયાદીના મચ્છીના પાર્સલ ‘જખો-દીવ‘ રૂટની એસ.ટી.બસમાં નિયમિત આવતા હતા. આ પાર્સલ બસમાં લાવવા અને ઉતારવા માટે આરોપી મનીષભાઇ મગનલાલ કાનાબાર (કંડક્ટર, એસ.ટી.ડેપો, ઉના)એ પાર્સલ દીઠ રૂપિયા […]

Gujarat

વલસાડમાં દારૂના નશામાં પિતા સાથે ઝઘડો થતા બે પુત્રોએ પિતાને માર માર્યો, સારવાર દરમિયાન થયું મોત

જિલ્લાના ધરમપુર તાલુકાના મૂળદડ ગામે ધામણ ફળિયામાં પિતા-પુત્ર વચ્ચે થયેલી બોલાચાલી બાદ હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. દારૂના નશામાં ઘરે આવેલા પિતા સાથે થયેલા ઝઘડા દરમિયાન બે પુત્રોએ કુહાડીના હાથા વડે હુમલો કરતાં પિતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં ધરમપુર પોલીસે બંને પુત્રો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ […]

Gujarat

સુરતમાં ખાડી પૂરના પાણી ઓસર્યા બાદ હવે આરોગ્ય પર આડઅસર દેખાઈ

સુરત મનપા. ના ૧૮ આરોગ્ય કેમ્પોમાં ૩ દિવસમાં ૪૦૦૦ લોકોની તપાસ કરાઈ, જેમાં ૮૨૫ને ચામડીના રોગ અને ઝાડા-ઉલટીની સારવાર અપાઈ ડાયમંડ સીટી સુરતમાં ગયા અઠવાડિયે વરસેલા અતિ ભારે વરસાદ બાદ ખાડી પૂરના પાણી ઓસર્યા છે પણ હવે તેની આરોગ્ય પર આડઅસર સામે આવવા લાગી છે. પાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં શરૂ કરાયેલા ૧૮ આરોગ્ય કેમ્પોમાં છેલ્લા […]

Gujarat

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

આરોગ્ય તંત્રને દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા અપાયા આદેશ રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના અપાઈ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે ગાંધીનગર […]

Gujarat

૧૪૯મી ભગવાન જગ્ગનાથજી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં જાેવા મળી કોમી એકતાની મિશાલ

રથયાત્રા પહેલા મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિર જઈને અર્પણ કર્યો સોનાવરખી ચાંદીનો રથ આવનારી તા. ૧૬ જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં કોમી એકતા અને સૌહાર્દનો એક અદ્ભુત નમૂનો સામે આવ્યો છે. રથયાત્રા એ પોતે જ સમગ્ર સમાજને એક સૂત્રમાં બાંધતું પર્વ છે, અને આ વર્ષે પણ હિંદુ-મુસ્લિમ […]

Gujarat

ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગના ૨૫ ટ્રેકર કાયમી વોચ રાખશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહેર કર્યા જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે ૫૦માં પગથિયા નજીક એક અત્યંત દુ:ખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના ૧૧ વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે […]