ચીન અને જાપાન વચ્ચે ‘ઓલ ઈઝ નોટ ઓકે’ રવિવારે એક સત્તાવાર નિવેદનમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે જાપાનના નેતા દ્વારા તાઇવાન અંગે ખુલ્લેઆમ ખોટો સંકેત મોકલવો “આઘાતજનક” છે, બે અઠવાડિયાથી વધુ સમયથી સંબંધોને હચમચાવી નાખતી સતત ટિપ્પણીઓમાંની આ છેલ્લી ટિપ્પણી છે. ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા નિવેદન મુજબ, આ મુદ્દા પર […]
Author: JKJGS
બાંગ્લાદેશ વિરોધ: લોકો રસ્તા પર ઉતર્યા, વિપક્ષે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી
પાડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના રસ્તાઓ ફરી એકવાર વિરોધીઓથી ભરાઈ ગયા હતા, અને દેખાવો અન્ય ઘણા શહેરોમાં પણ ફેલાઈ ગયા હતા. કોર્ટના ચુકાદા બાદ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને દેશમાં લાવવામાં આવે અને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ૧૭ નવેમ્બરના રોજ, ૨૦૨૪ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત […]
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત ફલાય ઓવર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી ઝીણવટભરી સમીક્ષા કરી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગર ખાતે સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાથે જ તેઓએ બ્રિજની મુલાકાત લઈ તેના બાંધકામની ગુણવત્તાનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ બ્રિજની ઉપર આવેલા મહત્ત્વના સાત રસ્તા સર્કલ પર પહોંચીને સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે માત્ર બાંધકામની સ્થિતિ જ નહીં, પરંતુ બ્રિજની એન્જિનિયરિંગ ડિઝાઇન, […]
નવસારીના કાછીયાવાડીમાં દીપડો પાંજરે પુરાયો
નવસારી નજીકના કાછીયાવાડી ગામમાં ત્રણ દિવસથી દહેશત ફેલાવનાર એક દીપડો આખરે પાંજરે પુરાયો છે. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા ગામની પાછળ આવેલા વાડી વિસ્તારમાં ગ્રામજનોએ દીપડાના આંટાફેરા જોયા હતા. દીપડાની હાજરીથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ […]
ગાંધીનગરમાં ચેઇન સ્નેચરોએ લૂંટ કરવા ભીડ, એકલતા અને રાતના અંધારાનો સહારો લીધો
પાટનગરમાં ચેઇન એકા એક સાપના દરમાંથી બહાર નિકળી જતા હોય છે. મોટા ભાગના બનાવમાં સ્નેચર દ્વારા ઇુંટ કરવા માટે ભીડ, લુંટ અને અંધારાનો સહારો લેવામાં આવ્યો છે. જ્યારે વહેલી સવારે મોર્નિંગમાં કે પછી રાતના સમયે ચાલવા નિકળતા લોકોને શિકાર બનાવ્યા છે. તે ઉપરાંત વૃદ્ધ મહિલાઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે ચારથી પાંચ બાબતોનુ […]
ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા 14 સિનિયરો હોસ્ટેલમાંથી સસ્પેન્ડ
ગાંધીનગરની જીએમઇઆરએસ(GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી ‘ઇન્ટ્રો’ આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવા બદલ 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને માત્ર કોલેજની બોયઝ હોસ્ટેલમાંથી 6 માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે રસ્ટિકેટ(સસ્પેન્ડ) કરી સત્તાવાળાઓએ ચુપકીદી સાધી […]
ગોધરા કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
ગોધરા તાલુકાના કબીરપૂર ગામ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના બાદ કાંકણપૂર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રામાના મુવાડા ગામના નવનીત બાબુભાઈ મહેરાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. નવનીત મહેરા 21 નવેમ્બરના રોજ પોતાની બાઇક પર સાવલી […]
પંચમહાલમાં ખેલ મહાકુંભ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ
પંચમહાલ જિલ્લામાં ખેલ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભ-2025 અંતર્ગત જિલ્લા કક્ષાની બે દિવસીય સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ગોધરાના કનેલાવ સ્થિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાઈ હતી. બે દિવસીય તરણ સ્પર્ધાના પ્રથમ દિવસે ભાઈઓ માટે વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. આજરોજ બહેનો માટે વયજૂથ પ્રમાણે સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. ખેલાડીઓએ […]
મીઠાપુર ડુંગરીના યુવકે સાયબર ફ્રોડના નાણાં ઉપાડી સગેવગે કર્યા
ધારીના મીઠાપુર ડુંગરીના યુવકના ખાતામાં સાયબર ફ્રોડના 7.65 લાખ નાણાં જમા થયા બાદ તેને ઉપાડી સગેવગે કરતા ચલાલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. ચલાલા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ આર.આર.ગળચરએ ધારીના મીઠાપુર ડુંગરી ગામના સુરેશ કાનજીભાઈ રાઠોડ સામે ગુનો દાખલ કર્યો હતો. સુરેશ રાઠોડના બેંક ખાતામાં સાયબર ફ્રોડના જુદા જુદા બે ટ્રાન્જેકશન થકી રૂપિયા […]
કૃષિમંત્રી વાઘાણીએ અમરેલીમાં અમૃત ખેડૂત બજારની મુલાકાત લીધી
અમરેલી જિલ્લા પંચાયત ખાતે આયોજિત અમૃત ખેડૂત બજારની ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન મત્સ્યદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો અને પ્રાકૃતિક કૃષિનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિનું ભવિષ્ય ઉજળું […]










