સ્વદેશ સંસ્થાન અને સાગર કલાભવન અયોધ્યાના સંયુકત ઉપક્રમે તા. ૧ થી ૫ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન “અયોધ્યા કલા સંસ્કૃતિ મહાકુંભ” યોજાશે. તેમાં સમગ્ર દેશમાંથી ચિત્ર, કવિતા, સંગીત, સાહિત્ય, સંસ્કૃતિ, પ્રવાસનને લગતાં વિવિધ પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ચિત્રકાર અને તસવીરકાર ડૉ. હેમંત પંડ્યાએ સર્જેલા શ્રી રામ – શ્રી હનુમાનજીના […]
Author: JKJGS
જયપુરના સાંગાનેર વિસ્તારમાં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જાેવા
રાજસ્થાનના જયપુરમાં સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -૩માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળ્યો છે. રોષે ભરાયેલા લોકોએ જયપુર-ટોંક રોડ પર બજાર બંધ કરાવીને ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. આ […]
તમિલગા વેત્રી કઝગમ ના વડા વિજય દ્વારા ભાજપ અને ડીએમકે પર આકરા શાબ્દિક પ્રહાર
સાઉથના સુપરસ્ટારઅને તમિલગા વેત્રી કઝગમ પાર્ટી વડા વિજયને તમિલનાડુ માં આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણીમાં એક મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવી રહ્યા છે ત્યારે શુક્રવારે તેમની પાર્ટીની પહેલી જનરલ કાઉન્સિલ બેઠક દરમિયાન, તેમણે ભાજપ અને ડીએમકે પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તમિલગા વેત્રી કઝગમ (્ફદ્ભ)ના કાર્યકરો સાથેની બેઠક દરમિયાન વિજયે દાવો કર્યો હતો કે એક […]
વડાપ્રધાન મોદીએ ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી. પ્રધાનમંત્રીએ આ પડકારજનક સમયમાં મ્યાનમાર સાથે એકજુટતા સાથે ઊભા રહેવા માટે નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારતની અડગ પ્રતિબદ્ધતાની પુન:પુષ્ટિ કરી. આ આફતના પ્રતિભાવમાં, ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે, જે અસરગ્રસ્ત પ્રદેશોને તાત્કાલિક રાહત અને […]
ભારતના રાષ્ટ્રપતિએ ‘પર્યાવરણ – ૨૦૨૫’ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું
આવનારી પેઢીઓને સ્વચ્છ પર્યાવરણનો વારસો પૂરો પાડવો એ આપણી નૈતિક જવાબદારી છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ‘પર્યાવરણ – ૨૦૨૫’ પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પર્યાવરણને લગતા બધા દિવસો એ સંદેશ આપે છે કે આપણે તેમના ઉદ્દેશ્યો અને કાર્યક્રમોને દરરોજ ધ્યાનમાં રાખવા […]
ભારત સરકારે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ એટલે કે ૧૪ એપ્રિલના દિવસે દેશભરમાં જાહેર રજાની જાહેરાત કરી
કેન્દ્ર સરકારે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર ૧૪ એપ્રિલે જાહેર રજાની જાહેરાત કરી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સરકારના ર્નિણયની માહિતી આપી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હવે આપણા પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, બંધારણના ઘડવૈયા, જેમણે સમાજમાં સમાનતાના નવા […]
છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો ૧૬ નક્સલવાદીઓ ઠાર
છત્તીસગઢમાં ફરી એકવાર સુરક્ષા દળો ને મોટી સફળતા મળી છે જેમાં, સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું હતું ત્યારે સામ સામે ફાયરિંગમાં ૧૬ નક્સલવાદીઓ માર્યા ગયા છે. જયારે બે જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે. […]
ઈઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂત પર ફરી મોટો હુમલો કર્યો
ગયા વર્ષે નવેમ્બરમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ બાદ ઈઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂત પર ફરી મોટો હુમલો કર્યો છે. બેરૂતમાં એક મોટો વિસ્ફોટ સાંભળવામાં આવ્યો હતો અને ઇઝરાયલી દળોએ જ્યાં હુમલો કર્યો હતો તે વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જાેવા મળ્યા હતા. તે જ સમયે, ઇઝરાયેલી સેનાએ હવાઈ હુમલામાં દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓના મુખ્યાલયને ઉડાવી દીધું […]
ઓસ્ટ્રેલિયામાં ૩ મે ૨૦૨૫ ના રોજ યોજાશે ચૂંટણી
આલ્બાની ફરી વડાપ્રધાન બનવાની શક્યતા વડાપ્રધાન એન્થની આલ્બાનીઝ ગવર્નર જનરલ સામ મોસ્તિને મળ્યા હતા તે પછી પત્રકારો સમક્ષ અલ્બાનીઝે જાહેરાત કરી હતી કે, ૩ મે ૨૦૨૫ ના રોજ ચૂંટણી યોજાશે. ઓસ્ટ્રેલિયામાં હાઉસ-ઓફ- રેપ્રિઝેન્ટેટીવ્સની મુદત ૩ વર્ષની છે. સંસદ ભવનમાં પત્રકારોને સંબોધવા સમગ્ર દેશને પણ કરેલાં સંબોધનમાં તેઓએ રાષ્ટ્ર સમક્ષ રહેલા પડકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું […]
નેપાળમાં ફરી રાજાશાહી લાગુ કરવાની માંગ સાથે હજારો લોકો દ્વારા રસ્તા પર પ્રદર્શન
રાજકીય પક્ષોના હેડક્વાર્ટર્સ, મીડિયા બિલ્ડિંગો, શોપિંગ મોલ સહિત અનેક સ્થળે આગ, ૧૨ થી વધુ પોલીસ ઘાયલ પાડોશી દેશ નેપાળમાં ફરી રાજાશાહી લાગુ કરવાની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી ગયા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. જેમને રોકવા માટે નેપાળ સરકાર પોલીસ અને સેનાનો બળ પ્રયોગ કરી રહી છે. જેને પગલે નેપાળના અનેક વિસ્તારોમાં […]










