Gujarat

કોડીનાર એસટી ડેપોમાં નવા બસ રૂટનો શુભારંભ અને ઑટો ક્લિનિંગ મશીનનું ખાતમુહૂર્ત

આજરોજ કોડીનાર એસટી ડેપોમાં કોડીનાર–ગીર ગઢડા બસના નવા રૂટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથે સાથે ડેપોમાં આધુનિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે ઑટો ક્લિનિંગ મશીનનું ખાતમુહૂર્ત પણ યોજાયું હતું, જે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકીના વરદ હસ્તે કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે કોડીનાર નગરપાલિકાના લોકલાડીલા ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી, તાલુકા ભાજપ […]

Gujarat

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજયને વધાવવા માટે શહેર ભાજપા જામનગર દ્વારા કરાઈ ઉજવણી

મહારાષ્ટ્રમાં બૃહદમુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ BMC સહિત કુલ ૨૯ મહાનગરપાલિકાઓ માટે મતદાન યોજાયું હતું. આજે, ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ આ ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને પરિણામો જાહેર કરવામાં આવેલ, જેમાં ભાજપ (૧૩૭ બેઠક) અને એકનાથ શિંદેની શિવસેના (૯૦ બેઠક). મહાવિકાસ અઘાડી (MVA): […]

Gujarat

વેરાવળ GIDCમાં પેટ્રોલપંપ નજીક ઝાડીમાં લાગી આગ

વેરાવળ શહેરના GIDC વિસ્તારમાં ભાલપરા રોડ પર આવેલા પેટ્રોલપંપ અને પેપરના ગોડાઉન નજીક ઝાડીમાં આગ લાગી હતી. આ ઘટના આજે સાંજે બની હતી. વેરાવળ ફાયર વિભાગની સમયસર અને સક્રિય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાની જાણકારી આજે સાંજે લગભગ 7 વાગ્યે 112 મારફતે વેરાવળ ફાયર કંટ્રોલ રૂમને મળી હતી. કોલમાં જણાવ્યા મુજબ, ભાલપરા […]

Gujarat

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 20-21 જાન્યુઆરી ગીર સોમનાથની મુલાકાતે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 20 અને 21 જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાત લેશે. તેમની આ મુલાકાત શિક્ષણ, પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા અને ગ્રામ વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. મુલાકાતના પ્રથમ દિવસે, 20 જાન્યુઆરીએ, રાજ્યપાલ વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તેઓ વિદ્યાર્થીઓને સંબોધિત કરશે અને આશીર્વાદ આપશે. પદવીદાન […]

Gujarat

ઉનાનું આમોદ્રા ગામ સિંહોનું મનપસંદ સરનામું

ગીરની સરહદે આવેલા ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે વનરાજાઓના આંટાફેરા સામાન્ય બન્યા છે. ખાસ કરીને ઉનાનું આમોદ્રા ગામ છેલ્લા ઘણા સમયથી સિંહો માટે અનુકૂળ રહેઠાણ બની ગયું હોય તેમ જણાય છે. આજે (16 જાન્યુઆરી) વહેલી સવારે આમોદ્રાની સીમમાં સિંહની ગર્જનાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સામાન્ય રીતે શાંત વાતાવરણમાં સિંહની ડણક 3 કિમીથી વધુ દૂર […]

Gujarat

માળીયામાં નવી મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર કચેરીનો સમાવેશ કરવા માંગણી

માળીયા હાટીના ગામની બારોબાર અંદાજે બે કિલોમીટર દૂર તાજેતરમાં નવી બનાવાયેલી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ સબ રજીસ્ટર કચેરી માટે જગ્યા ફાળવવામાં ન આવતા વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળ્યો છે આ મુદ્દે આજે માળીયા હાટીના બાર એસોસિએશન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સરકારે લોકોની સુવિધા માટે ગામની બારોબાર નવી આધુનિક મામલતદાર કચેરીનું ભવન નિર્માણ […]

Gujarat

આર્મી જવાન દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા

ભારતીય સેનાના જવાન દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને તેમની વીરતા અને કર્તવ્યનિષ્ઠા બદલ સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગરમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના માધુપુર ગામના વતની દિનેશભાઈને જયપુરમાં આર્મી ડે નિમિત્તે આ સન્માન મળ્યું હતું. દિનેશભાઈએ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન અદમ્ય શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. તેમણે મિસાઈલનો ઉપયોગ કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને સફળતાપૂર્વક ધ્વસ્ત કર્યા હતા. 12મી […]

Gujarat

જામનગરમાં લક્ષ્મીનારાયણ મંદિરનો 42 મો પાટોત્સવ

જામનગરની આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત લક્ષ્મીનારાયણ મંદિરમાં 42મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે લીમડાલાઇન સ્થિત સંસ્થાના અનાથાલય પરિસરમાં ભવ્ય શાકોત્સવનું આયોજન થયું હતું. સંસ્થાના મહંત દેવપ્રસાદજીની નિશ્રામાં સેંકડો ભક્તોએ મહાપ્રસાદની સામગ્રી તૈયાર કરી હતી. પૂજારીઓએ લક્ષ્મીનારાયણ ભગવાનને શાકભાજીમાંથી બનાવેલા આભૂષણોનો વિશેષ શૃંગાર અર્પણ કર્યો હતો. આ શુભ અવસરે ભગવાન લક્ષ્મીનારાયણને વિવિધ શાકભાજી, મીઠાઈઓ, […]

Gujarat

ગાંધીનગર તાલુકાના શેરથા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્રને ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રિડિટેશન એનાયત

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રે વ્યાપ અને તેની ઉચ્ચ ગુણવત્તા અંગે વધુ એક કેન્દ્રએ સિધ્ધિ હાંસલ કરી છે. ગાંધીનગર તાલુકાના શેરથા આયુષ્માન આરોગ્ય મંદિર પેટા આરોગ્ય કેન્દ્રને ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે. શેરથા પેટા આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી સ્ટાન્ડર્ડ અંતર્ગત ક્વોલિટી સર્ટિફિકેશન પ્રાપ્ત થતા તેને રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા જાળવી […]

Gujarat

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ખેડૂત કેન્દ્રિત પ્રેરક મુલાકાત: કૃષિ સખી તથા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના ફાર્મની મુલાકાત લઈ રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો

સરકારી શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણથી લઈ પ્રભાત ફેરી, સ્વચ્છતા અભિયાન અને ગૌસેવા દ્વારા જીવંત સંદેશ તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર ઊભું કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ ભાવનગર જિલ્લાના હણોલ ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. […]