Gujarat

ઉનાળાના વેકેશન દરમિયાન સુરતમાં સરથાણા નેચર પાર્ક ફરી એકવાર સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સાબિત થયું

સરથાણા નેચર પાર્ક ખાતે ઉનાળાના વેકેશનમાં ૧ લાખથી વધુ મુલાકાતીઓથી સુરત મનપા. ને ૩૦.૦૮ લાખની આવક ૩૪ દિવસનું વેકેશન દરમિયાન થઈ ઉનાળાના વેકેશન દરમિયાન ડાયમંડ સીટી સુરતમાં આવેલ સુરત મહાનગરપાલિકાનું સરથાણા નેચર પાર્ક ફેવરીટ પ્લેસ તરીકે ઉભરી આવ્યું છે. ૩૪ દિવસનું વેકેશન દરમિયાન ૧.૦૯ લાખથી વધુ મુલાકાતીઓ નેચર પાર્કની મુલાકાત લેતાં પાલિકાને ૩૦.૦૮ લાખની આવક […]

Gujarat

અમદાવાદના ગોતામાં પ્રદૂષિત પાણીનો મામલો; શરૂઆતમાં નમૂના અનફિટ, હવે પાણી પીવાલાયક જાહેર

અમદાવાદ મહાનગરપાલિકામાં આવતા ગોતા વોર્ડમાં ગત સપ્તાહે ફેલાયેલા રોગચાળા મામલે તંત્ર દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલ તપાસમાં ફેલ સાબિત થયા છે. જ્યારે ચોથી અને પાંચમી જૂને લેવામાં આવેલા સેમ્પલ પાસ થયાં છે. તંત્ર દ્વારા ગત ત્રીજી જૂને આકાંક્ષા ફ્લેટ, નવરત્ન એવેન્યૂ અને વર્ધમાન ફ્લેટના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે અનફીટ સાબિત થયાં છે. આ વિસ્તારમાં […]

Gujarat

ગુજરાતમાં ‘વિકાસ ભી,વિરાસત ભી’નો વિચાર થયો સાકાર

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં ૧૬ લાખથી વધુ મુલાકાતીઓએ નિહાળ્યા મ્યુઝિયમ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૬ લાખથી વધુ નાગરીકોએ વિવિધ મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલયની મુલાકાત લીધી છે તેમ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજ શર્માએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, બદલાતા સમય સાથે ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી […]

Gujarat

સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો!

સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત એક તરફ શાળાઓ શરૂ થતાં બાળકોમાં નવો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે, તો બીજી તરફ શાળા ખૂલવાના પહેલા જ દિવસે વાલીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ઝ્રદ્ગય્ ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે આર્થિક બોજ વધ્યો છે. છેવટે અમદાવાદ સ્કૂલ […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ૬ રસ્તાઓ ફોરલેન બનાવવા ૬૨૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા

ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળવાથી ઇઝ ઓફ લિવિંગ અને પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ૬૨૯ કરોડ રૂપિયા કચ્છ જિલ્લાના ૬ રસ્તાઓના ફોરલેન માટે મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી […]

Gujarat

નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે થયો હલ્લા બોલ!

ઇન્સેન્ટિવ, પગાર વધારાની માગણી સાથે રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી બહાર આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન રાજ્યમાં ફરી એકવાર મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી, નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનો એકઠી થઈ હતી અને પોતાના ઇન્સેન્ટિવ (મહેનતાણું) તથા પગાર વધારાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા […]

Gujarat

ગિરનારના ઘનઘોર જંગલમાં વન્યજીવોની ગણતરીનો પ્રારંભ

જૂનાગઢ વન વિભાગ દ્વારા ગિરનાર વન્યજીવ અભયારણ્યના ગહન જંગલ વિસ્તારમાં આજથી તૃણાહારી (શાકાહારી) પ્રાણીઓની વસ્તી ગણતરીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજે અને (9 અને 10 જૂન) એમ સતત 2 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ ગિરનારની સમૃદ્ધ જૈવવિવિધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા વન્યપ્રાણીઓની ચોક્કસ સ્થિતિનો વૈજ્ઞાનિક ડેટા મેળવવાનો છે. આ […]

Gujarat

કેરળા GIDCની લોખંડની કંપનીમાં ભીષણ આગ

બાવળા નજીક આવેલા કેરળા GIDC વિસ્તારની એક લોખંડની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે આસપાસના કારખાનાઓમાં કામ કરતા લોકો અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડનું આખી રાત ઓપરેશન ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 5થી વધુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી […]

Gujarat

ઊંઘમાં જ પતિએ પત્નીના ગળામાં છરી ઝીંકી દીધી

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં લોહીયાળ ઘટના સામે આવી છે, જેમાં માત્ર 3 મહિનાના ટૂંકા લગ્નજીવન બાદ એક નવપરિણીતાની તેના જ પતિએ નિર્દયતાપૂર્વક છરીના ઘા મારીને હત્યા કરી દીધી છે. હત્યાની આ સનસનાટીભરી વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ધાબા પરથી કૂદીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. આ ચકચારી મામલે સરખેજ પોલીસે ગુનો નોંધીને હત્યારા પતિને […]

Gujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોનું ડિમોલેશન શરૂ

જામનગર મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા શહેરમાં આવેલી અત્યંત જર્જરિત અને જોખમી ઇમારતોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય દુર્ઘટના ટાળવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરિત ઇમારતોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેમાં કુલ 6 ઇમારતો માનવજીવન માટે જોખમરૂપ હોવાનું […]