Gujarat

ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો જામનગર શહેર દ્વારા શહેર કાર્યાલય ખાતે પરિચય બેઠક અને આગામી કાર્યક્રમના આયોજનની બેઠક રાખેલ હતી.

આ બેઠક માં શહેર પ્રમુખ શ્રી બીનાબેન કોઠારી,પ્રભારી મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ કાનાણી, મુર્ગેશભાઈ દવે બક્ષીપંચ પ્રમુખ વિરલભાઈ બારડ, મહામંત્રી મોહનભાઇ ગઢવી, મયુરભાઈ સિંઘવ શહેર બક્ષીપંચ મોરચાની ટિમ કારોબારી, વોર્ડ ના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા

Gujarat

બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન ,વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી‎

બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન,વાઈસ ચેરમેનની મુદત પૂરી થતા 21 જુલાઈના બોટાદ જિલ્લા દૂધ સંઘની અઢી વર્ષની ટર્મ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં બોટાદ જિલ્લા મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી અને વાઇસ ચેરમેન તરીકે મેપાભાઇ મારૂના નામનો ભાજપે મેન્ડેટ આપતા બંને બિનહરીફ થયા જાહેર થયા હતા જિલ્લા દૂધ સંઘની અઢી વર્ષની ટર્મ માટે […]

Gujarat

કુંડળ ગામે ચાંદીપૂરા વાયરસનો શંકાસ્પદ કેસ

બરવાળા તાલુકાના કુંડળ ગામે ચાંદીપૂરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ખેતમજૂરના બે વર્ષના બાળકને આ વાયરસના પ્રાથમિક લક્ષણો દેખાતા તેને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. બે વર્ષના બાળકને ચાંદીપૂરા વાયરસના લક્ષણો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઘટના બાદ બાળકને સૌપ્રથમ બોટાદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં […]

Gujarat

પાળિયાદ વિહળધામમાં નિર્મળાબાનો પ્રાગટ્ય દિવસ

બોટાદ જિલ્લાના પાળિયાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વિસામણબાપુની જગ્યા, વિહળધામ ખાતે મહામંડલેશ્વર નિર્મળાબા (ઉનડબાપુ) નો ૬૪મો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ ઉજવણી આગામી ૨૪ જુલાઈ, ૨૦૨૬, શુક્રવારના રોજ કરવામાં આવશે. આ પાવન અવસરે ભયલુબાપુ, ગાયત્રીબા દિયાબા પૃથ્વીરાજબાપુ તેમજ સમગ્ર વિહળ પરિવાર ગરિમામય ઉપસ્થિતિ રહેશે. પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી […]

Gujarat

જૂનાગઢના બિલખા રોડ નજીક ધોળા દિવસે સિંહણે પશુનું મારણ કરી મિજબાની માણી

​ગિરનારના જંગલમાં વસતા એશિયાટીક સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ તેમજ માનવ વસાહત ધરાવતા રહેણાક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. સિંહોનું આ પ્રકારે શહેરાભિમુખ થવું અને મારણ કરવાની ઘટનાઓ નવી નથી. ભૂતકાળમાં પણ ગિરનાર આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર અને શિકારના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. ​હાલમાં જ સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો […]

Gujarat

સુરેન્દ્રનગરમાં દસાડામાં 42, લખતરમાં 19 મીમી વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પંથકમાં 42 મીમી અને લખતર પંથકમાં 19 મીમી વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ છે. જેમાં વઢવાણ તાલુકામાં 10 મીમી, ચુડા તાલુકામાં 7 મીમી, લીંબડી તાલુકામાં 6 મીમી અને ધ્રાંગધ્રા તાલુકામાં 2 મીમી વરસાદ નોંધાયો છે. મોસમ દરમિયાન […]

Gujarat

વઢવાણમાં 94.38 લાખનો જપ્ત દારૂનો નાશ

વઢવાણના સ્વામીની ખાણ ખાતે સુરેન્દ્રનગર પોલીસે મોટા પ્રમાણમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કર્યો છે. આ દારૂની કિંમત 94.38 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલી કુલ 11,725 ઇંગ્લિશ દારૂની બોટલોનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત 94,38,463 રૂપિયા થાય છે. વઢવાણ એસડીએમ મેહુલ […]

Gujarat

રાજકોટમાં ચાંદીપુરા કેસ આવતા 200 ઘરોની તપાસ

રાજકોટમાં ચાંદીપુરાનો એક કેસ પોઝિટિવ આવ્યા બાદ વહીવટી અને આરોગ્યતંત્ર એલર્ટ થઈ ગયુ છે. મધ્યપ્રદેશથી ગોંડલના પાંચિયાવદર ગામે પરિવાર સાથે આવેલી 3 માસની બાળકીનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં 200 ઘરોમાં 1000 થી વધુ લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. હાલ હોસ્પિટલમાં એક દર્દી વેન્ટિલેટર ઉપર તો 3 બાળ દર્દી દાખલ છે. હાલ 6 […]

Gujarat

પાંચવડા ગામ પાસે કોહવાયેલી હાલતમાં લાશ મળી, હત્યાની આશંકા

જસદણ તાલુકાના પાંચવડા ગામ નજીક નદી કાંઠેથી એક બંધ સૂટકેસમાંથી અજાણ્યા શખ્સનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી લાશને સૂટકેસમાં ભરી ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના ધ્યાનમાં આવ્યું કે પાંચવડા ગામ નજીક નદીના કાંઠે એક બિનવારસી અને શંકાસ્પદ […]

Gujarat

રાજકોટમાં છેલ્લા 1 મહિનામાં ફૂડ વિભાગનું 1095 સ્થળે સઘન ચેકિંગ, 96 જગ્યાએથી નમૂના લેવાયા

રાજકોટમાં પ્રજાના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા અને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી મેયર ડો. નેહલ શુકલ દ્વારા અખાદ્ય પદાર્થોના ચેકીંગ માટેનાં આદેશો અપાયા હતા. મેયરનાં આદેશ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અને છેલ્લા 1 મહિનામાં કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓ સામે વ્યાપક અને સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સમયગાળા […]