Uncategorized

અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ આવતીકાલથી બજારો બંધ રહેવાની અફવા*

*અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ આવતીકાલથી બજારો બંધ રહેવાની અફવા*

*જાહેર જનતાને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટરશ્રીની અપીલ*

તા. ૧૦ મે, અમરેલી

આજે અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ આવતીકાલથી અગત્યની સેવાઓ સિવાય તમામ બજારો બંધ રહેવાની અફવાઓ ઉડી રહી છે. પરંતુ હકીકતે આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. આ બાબતે જીલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જિલ્લાવાસીઓમાં બજારો બંધ રહેવાની વાતો થાય છે એ અફવા છે. હાલ રાજ્ય સરકાર કે વહીવટી તંત્ર દ્વારા એવી કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. તથા ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે ત્યારે રાજય સરકારની સૂચના મુજબ જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને જિલ્લાવાસીઓને અગાઉથી જાણ કરવામાં આવશે.

કલેકટરશ્રી દ્વારા કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ પ્રકારની અફવાઓથી દૂર રહવવા અપીલ કરવામાં આવે છે.
————
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200510-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *