પાટણ શહેરની રાજનગર સાસાયટી પાસેથી પસાર થતી ગુંગડી કેનાલમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી સજાૅતા આ અંગે સ્થાનિક રહીશો તેમજ સાંઈ બંગ્લોજમાં રહેતા જીતેન્દ્રભાઈ ઠકકર દ્વારા અવાર નવાર પાલીકા માં રજુઆત કરવા છતાં પાલીકા દ્વારા સફાઈ કરવામાં ન આવતા રહીશોમાં રોષ જોવા મલ્યો હતો. શહેરના મીરા દરવાજાથી પદ્મનાથચોકડી તરફ જવાના માગૅ આવેલ લાલેશ્વર પાકૅ સોસાયટીની સામે રાજનગર સોસાયટી આવેલ છે.જેની બાજુમાં પસાર થતી ગુંગડી કેનાલ માં બંને તરફ માટીના ઢગલા કરી દેવામાં આવતા ગટરના ગંદા પાણીમાં જમા થાય છે તેમજ આસપાસ ના રહીશો કચરો ઢલવતા હોઈ કેનાલમાં મોટા પ્રમાણ ગંદકી સજાૅઈ છે જેના કારણે લોકોને અહીં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે તેમજ કેનાલ માંથી ફેલાતી દુગૅંધના કારણે લોકો બીમાર થવાની પણ દહેશત સતાવી રહી છે . આ અંગે રાજનગરના રહીશો દ્વારા અવાર નવાર નગરપાલીકા તંત્રમાં રજુઆત કરવા છતાં કેનાલમાં પાણીનો નિકાલ કરવીની વ્યવસ્થા કરવામાં આવતી નથી જેથી લોકોમાં રોષની લાગણી જોવા મલી રહી છે.