Uncategorized

ભકનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ 75 મજૂરને જીવન જરૂરિયાત પેકેટનું વિતરણ સેરનાથબાપુ તેમજ જૂનાગઢ પોલીસ

ભકનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ 75 મજૂરને જીવન જરૂરિયાત પેકેટનું વિતરણ સેરનાથબાપુ તેમજ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા દ્વારા*_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

💫 જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના જણાવ્યા પ્રમાણે હાલમાં લોક ડાઉન પછી મજૂરોને કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા માટે પોતાના વતનમાં જવા અટકાવેલા છે. જે પૈકી મોટા ભાગના મજૂરો પરત જે ગામમાં કામ કરતાં હતાં, ત્યાં વાડી માલિક ને સોંપી, ગામડાઓમાં મોકલવામાં આવેલ છે. જ્યારે અમુક મજૂરો શહેર વિસ્તારમાં તથા સરકારી જમીનમાં ઝૂંપડાઓ બાંધી ને રહેતા હતા અને જે જે લોકો કામે રાખે ત્યાં છૂટક મજૂરી કરીને રહેતા હતા, તેવા મજૂરોને રાખવા માટે સરકાર દ્વારા જુદા જુદા શહેરમાં જુદી જુદી જગ્યાએ સેલ્ટર હોમ બનાવી મજૂરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જે પૈકી 75 જેટલા મજૂરો ભવનાથ ખાતે ખોડીયાર રાસ મંડળ ખાતેની જગ્યામાં રાખવામાં આવેલ છે. જે 75 મજૂરની જમવાની વ્યવસ્થા ભવનાથ ખાતે આવેલ ગુરુ ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુ દ્વારા કરવામાં આવેલ છે. તમામ મજૂરોને ભવનાથ ખાતે વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા અવારનવાર વિઝીટ કરી, વ્યવસ્થાની ચકાસણી પણ કરવામાં આવે છે…._

💫 _હાલમાં લોક ડાઉન તા. 03.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા જૂનાગઢના એસ.ડી.એમ. જે.એમ.રાવલ, ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર જયસુખ લેખિયા, મામલતદાર ચાવડા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. યુસુફભાઈ, ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા *ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ તમામ મજૂરોના જીવન જરૂરિયાત કોલગેટ તથા ગરમીમાં સ્વાસ્થ્ય જળવાઈ તે માટે રાધેશ્યામ રામરોટી પરિવારના સૌજન્યથી ગ્લુકોઝના પેકેટનું વિતરણ મહંત શ્રી શેરનાથબાપુના હાથે* કરવામાં આવેલ હતુ. *જૂનાગઢ પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરોને આવશ્યક ચીજોનું વિતરણ કરતા, કપરા સમયમાં મદદ કરવા બદલ સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરો દ્વારા જૂનાગઢ પોલીસ તથા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત* કર્યો હતો. *લોક ડાઉન હાલમાં લંબાવેલ હોઈ, તમામ મજૂરોએ પોતાની વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવેલ સગવડ અંગે સંતોષ વ્યક્ત* કરવામાં આવ્યો હતો..ત્યારે જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , સુરક્ષા અને સેવાની સાથે*પોલીસ પ્રજાની મિત્ર બની હતી

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200415-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *