ગિરગઢડા
ભરત ગંગદેવ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય વેરાવળ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીમાં સહભાગી થશે. તેમની સાથે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન શ્રી સજ્જાદભાઈ હીરા પણ ઉપસ્થિત રહેશે. ગુડ ગવર્નન્સ વીકની ઉજવણીના ભાગરૂપે સોમનાથ રામમંદિર ઓડિટોરિયમમાં તા.૩૦-૧૨-૨૦૨૧ ના રોજ ૧૦.૧૫ કલાકે રોજગાર નિમણૂંક પત્રો, એપ્રેન્ટીસ સ્ટાઈપેન્ડ, રિએમ્બર્સમેન્ટ મોડ્યુલનો શુભારંભ તેમજ આઈ.ટી.આઈ. સંસ્થાકીય સ્ટાઈમેન્ડનું ડીઝીટલ પોર્ટલ પર લોન્ચિગ, આઈ.ટી.આઈ.ના નવનિર્મિત ભવનનુ લોકર્પણ અને ઈ-શ્રમ કાર્ડ વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
