Uttar Pradesh

ભાજપના ગજેન્દ્ર ઝાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા

બિહાર
જીતનરામ માંઝીએ શનિવારે ભૂયણ સમાજના એક કાર્યક્રમ દરમિયાન બ્રાહ્મણ સમાજ વિશે વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જાેકે બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી. તેમણે શ્રી રામને પણ નકારી કાઢ્યા હતા જેનો વીડિયો વાયરલ થયા બાદ હંગામો મચી ગયો હતો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝીની જીભ કાપનારને ૧૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરનાર બીજેપી નેતાને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધો છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે અભદ્ર ભાષા કોઈને પણ સાંખી શકાય નહીં. જીતનરામ માંઝીના બ્રાહ્મણો વિશેના નિવેદન બાદ બીજેપી નેતા ગજેન્દ્ર ઝાએ જાહેરાત કરી હતી કે જેઓ માંઝીની જીભ કાપશે તેમને તેઓ ૧૧ લાખ રૂપિયા આપશે. પાર્ટીએ આની આકરી પ્રતિક્રિયા આપી છે અને તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે અને ૧૫ દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે. મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ એક વિશેષ જાતિ પર અભદ્ર ટિપ્પણી માટે ફરીથી માફી માંગી છે. તેણે મંગળવારે ટ્‌વીટ કર્યું હતું કે જાતિ વિરુદ્ધ બોલવામાં આવેલા મારા શબ્દો ભુલથી નિકળી ગયા હોઈ શકે છે, જેના માટે હું માફી માંગુ છું. હું બ્રાહ્મણવાદની વિરુદ્ધ હોવા છતાં આ વ્યવસ્થાનો વિરોધ ચાલુ જ રહેશે. જણાવી દઈએ કે બીજેપી નેતાના આ વિવાદાસ્પદ નિવેદન બાદ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચાએ પણ વળતો જવાબ આપ્યો હતો. પાર્ટીના પ્રવક્તા દાનિશ રિઝવાને કહ્યું કે માંઝી માટે સતત અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે. જીભ કરડવાની વાત શું દલિતોનું અપમાન નથી? દાનિશે કહ્યું કે હું બિહાર ભાજપના ટોચના નેતાઓને કહેવા માંગુ છું કે તેઓ પોતાના લોકોને સમજાવે કે આ બધું યોગ્ય નથી. એક તરફ હિન્દુસ્તાની અવમ મોરચા (ૐછસ્) એ ગજેન્દ્ર ઝાના નિવેદન પર વળતો જવાબ આપ્યો, ત્યારબાદ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય પણ આ મામલે કૂદી પડ્યા. રોહિણીએ મંગળવારે ટિ્‌વટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા છે. રોહિણી આચાર્યએ મંગળવારે ટ્‌વીટ કરીને લખ્યું- “ભાજપના લોકો આટલું ડ્રામા કેમ કરે છે? માંઝીના સમર્થનની જરૂર છે અને નિવેદન પર રડવું ? માંઝી વિના સરકાર કેમ ચલાવી શકાતી નથી? શું સ્વાભિમાન મરી ગયું ભાજપના લોકો? હિંમત હોય તો માંઝી વગર સરકાર ચલાવીને બતાવો. મધુબનીના બીજેપી જિલ્લા અધ્યક્ષ શંકર ઝાએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને લઈને ગજેન્દ્ર ઝાનું નિવેદન અભદ્ર છે. આ નિવેદન અણધાર્યું હોવાનું પક્ષની શિસ્તની તદ્દન વિરુદ્ધનું છે. તેમણે કહ્યું કે આ પ્રકારનું વર્તન સહન કરવામાં આવશે નહીં. શંકર ઝાએ કહ્યું કે અગાઉ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેને બહાર કાઢવામાં આવ્યો છે. આ માહિતી જિલ્લામાંથી રાજ્યને પણ આપવામાં આવી છે, કારણ કે તે બિહાર ભાજપ રાજ્ય કાર્ય સમિતિના સભ્ય પણ છે, તેથી રાજ્ય સ્તરેથી આ માહિતી ટૂંક સમયમાં દરેક વ્યક્તિ સુધી પહોંચશે.

Jatanram-Manji.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *