ઉતરપ્રદેશ
ઉત્તર પ્રદેશ ઉચ્ચ શિક્ષણ સેવા આયોગે તેની સત્તાવાર વેબસાઇટ પર પ્રખ્યાત કવિ અકબર અલ્હાબાદીનું નામ બદલીને ‘અકબર પ્રયાગરાજી’ કરી દીધું છે. આ સાથે તેગ અલ્હાબાદીનું નામ પણ તેગ પ્રયાગરાજ અને રાશિદ અલ્હાબાદીનું નામ બદલીને રાશિદ પ્રયાગરાજ કરવામાં આવ્ર્યુ હકીકતમાં કમિશનની અંગ્રેજી વેબસાઈટમાં અબાઉટ અસ સેક્શન આપવામાં આવ્યું છે. જેમાં અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ના ભૂતકાળ અને તેનાથી સંબંધિત મહત્વની હસ્તીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અબાઉટ અસની શરૂઆતમાં, પ્રયાગરાજ શહેર વિશે કહેવામાં આવ્યું છે કે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશનું એક મહત્વપૂર્ણ શહેર છે જેને પ્રયાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમ પણ છે અને હિન્દુઓ માટે પવિત્ર સ્થળ છે. તેમ છતાં તે રાજ્યના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાંનું એક છે, તે હજુ પણ રાજ્યમાં સૌથી ઝડપથી વિકસતા અને ત્રીજા સૌથી વધુ રહેવા યોગ્ય શહેરમાંનું એક છે. વેબસાઈટના ત્રીજા ફકરામાં પ્રખ્યાત ઉર્દૂ કવિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેબસાઈટમાં લખ્યું છે કે, “હિન્દી સાહિત્ય ઉપરાંત, શહેરમાં ફારસી અને ઉર્દૂ સાહિત્યનો પણ અભ્યાસ કરવામાં આવતો રહ્યો છે. અકબર ‘પ્રયાગરાજી’ જે પ્રખ્યાત આધુનિક ઉર્દૂ કવિ હતા, નૂહ નરવી, તેગ ‘પ્રયાગરાજ’, શબનમ નકવી અને રાશિદ ‘પ્રયાગરાજ’ પણ પ્રયાગરાજમાં થયા હતા. આયોગએ અલ્હાબાદના નામને બદલે પ્રયાગરાજ અને પ્રયાગરાજી શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ કારણે કવિઓના નામ બદલાયા છે. યુપી હાયર એજ્યુકેશન સર્વિસ કમિશનની વેબસાઈટ પર કવિઓ અને શાયરોના નામમાં ફેરફારની માહિતી સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલો દ્વારા ઘણા કલાકો પહેલા આવી ચૂકી છે, પરંતુ હજુ સુધી નામ બદલાયું નથી. કમિશનની સત્તાવાર વેબસાઇટ પર સોમવારે સાંજે ૫.૪૫ વાગ્યા સુધી ઉર્દૂ કવિઓના નામ અલાહાબાદીને બદલે પ્રયાગરાજ અને પ્રયાગરાજી જતા હતા.ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર બન્યા બાદ અનેક જિલ્લાઓના નામ બદલવામાં આવ્યા હતા. અલ્હાબાદનું નામ પણ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું. હવે યુપીના શિક્ષણ આયોગે ઘણા પ્રખ્યાત કવિઓના નામ બદલીને પ્રયાગરાજ કરી દીધા છે, જેનાથી વિવાદ શરૂ થયો છે.
