નવીદિલ્હી
પછાત વર્ગો માટે અનામત બેઠકોને બિનઅનામત કરતી વખતે, કોર્ટે તેમને સંબંધિત ચૂંટણીઓ ઓપન કેટેગરીમાં કરાવવાનો આદેશ આપ્યો હતો. આ પછી ચૂંટણી પંચે તે બેઠકો પર નવો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમો હેઠળ, મંગળવારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ હતી.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમો અનુસાર ૧૦૬ નગર પંચાયતો, ૨ જિલ્લા પરિષદોની ચૂંટણીના પરિણામો બુધવારે જાહેર થશે. તમને જણાવી દઈએ કે, મંગળવારે ઓબીસી અનામત વિના યોજાયેલી આ ચૂંટણીઓની મતગણતરી આજે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રની ૧૦૬ નગરપાલિકામાંથી ૩૩૬ બેઠકો પર ગઈ કાલે મતદાન થયુ હતુ. આ ઉપરાંત, ભંડારા અને ગોંદિયા જિલ્લા પરિષદની ૨૩ બેઠકો અને તેમની હેઠળની પંચાયત સમિતિઓની ૪૫ બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ૧૧૫ ગ્રામ પંચાયતોની ૨૦૯ બેઠકો પર મતદાન થયુ હતુ. આ તમામ જગ્યાઓના ચૂંટણી પરિણામો બુધવારે જાહેર થશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મંગળવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, નગર પંચાયતોની ચૂંટણીમાં લગભગ ૮૧ ટકા અને જિલ્લા પરિષદો અને તેની સાથે સંકળાયેલ પંચાયત સમિતિઓની ચૂંટણીમાં લગભગ ૭૩ ટકા મતદાન થયુ હતુ. આ સાથે ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં પણ ૭૬ ટકા મતદાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય સાંગલી-મિરાજ-કુપવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક બેઠક પર પેટાચૂંટણી માટે ૫૦ ટકા મતદાન થયુ હતુ. આ ચૂંટણીઓમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, કેન્દ્રીય મંત્રી ભારતી પવાર, પરિવહન મંત્રી અનિલ પરબ અને ઘણા વર્ષોથી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હવે એનસીપીમાં રહેલા એકનાથ ખડસે સહિત અનેક દિગ્ગજાેની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમો અનુસાર, રાજ્યની તમામ ૧૦૬ મ્યુનિસિપલ કાઉન્સિલ, ભંડારા અને ગોંદિયાની જિલ્લા પરિષદો અને તેમની હેઠળની તમામ ૧૫ પંચાયત સમિતિની બેઠકો માટે ૨૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ ચૂંટણી યોજાવાની હતી. આ ઉપરાંત વિવિધ નગરપાલિકાઓની ખાલી પડેલી ચાર બેઠકો માટે પણ ૨૧મી ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના ૧૫ ડિસેમ્બરના આદેશ અનુસાર કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ર્ંમ્ઝ્ર અનામત રદ કરીને ચૂંટણી યોજવા જણાવ્યુ હતુ.
