Delhi

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવાયાં ત્રણ મહત્ત્વના ર્નિણય

નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજવામાં આવી છે. તેમાં આર્ત્મનિભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ૩ મહત્વના ર્નિણય કરવામાં આવ્યા છે. તેમાં સોલાર પીવી માટે પીએલઆઈ સ્કીમનો વિસ્તાર વધુ ફેલાવવામાં આવ્યો છે. ત્યાં જ સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગની ત્રણ યોજનામાં હવે સટીક ૫૦ ટકા ઇન્સેન્ટિવ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ત્યાં સરકારે કેબિનેટ બેઠકમાં નેશનલ લોજિસ્ટિક પોલીસીને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે, સરકારે સોલર પીવી મોડ્યૂલ ટ્રાન્સ-૨ને માટે ઁન્ૈં સ્કીમને મંજૂરી આપવામાં આવી છે અને તે માટે ૧૯,૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવ્યું છે. આ ર્નિણયથી દેશમાં સોલર પેનલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે. કેબિનેટ બેઠકમાં સેમી કન્ડકટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના સંશોધનોને મંજૂરી આપવામાં આવી છે. પ્રૌદ્યૌગિકી નોડ્‌સ સાથે સાથે કમ્પાઉન્ડ સેમીકન્ડકટર્સ, પેકેજિંગ અને અન્ય સેમીકન્ડક્ટર્સ સુવિધાઓ માટે ૫૦ ટકા પ્રોત્સાહન આપવામાં આવશે. આ મામટે ૨ લાખ લોકોને પ્રત્યક્ષ અને ૮ લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગાર મળશે. કેબિનેટ બેઠકમાં નેશનલ લોજિસ્ટિક પોલીસને પણ મંજૂરી આપવામાં આવી છે. ૧૭ ડિસેમ્બરે વડાપ્રધાને લોજિસ્ટિક નીતિ જાહેર કરતા કહ્યુ હતુ કે, આ નીતિનો ઉદ્દેશ્ય લોજિસ્ટિક ખર્ચને ઘરેલૂ ઉત્પાદનના ૧૩થી ૧૪ ટકાના સ્તરે ઘટાડીને એક અંકમાં લાવવાનો છે. આ પોલિસીના માધ્યમથી સરકારનું લક્ષ્ય લોજિસ્ટિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રેન્કિંગમાં સુધારો કરવાનું છે અને ૨૦૩૦ સુધીમાં ૨૫ દેશોનો સામેલ કરવાનો છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *