Delhi

કપિલ શર્માનો નવો શો આવી રહ્યો છે તો ટીવી પર કપિલનો શો બંધ થશે ?

નવીદિલ્હી
કપિલ શર્માએ ઓટીટી કોમેડીની તૈયારી શરૂ કરી છે. કપિલ શર્મા પોતાની કોમેડી ટેલેન્ટને વેબની દુનિયામાં એક્સ્પ્લોર કરવા માગે છે. આ બાબતે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર નસીબ અજમાવવાની કપિલની ઈચ્છા બહુ જૂની છે. તેઓ પોતાને માત્ર એક શો પૂરતા સિમિત રાખવા માગતા નથી. કપિલનો ટીવી શો સોની ટીવી પરથી શિફ્ટ થઈને સોનીના ઓટીટી પ્લેટફોર્મ પર આવે તેવી શક્યતા છે. કારણ કે, ચેનલ સાથે કપિલનું બોન્ડિંગ ઘણું સારું છે. કદાચ કપિલ નવા શો સાથે ટીવી પર કમબેક કરે તેવું પણ બની શકે છે. કપિલે ફોરેન ટૂર પર જતા પહેલા પૃથ્વીરાજના પ્રમોશન માટે એપિસોડ શૂટ કરેલો છે. ધ કપિલ શર્મા શોમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર ગેસ્ટ તરીકે આવ્યા છે. આ શોમાં કપિલે અક્ષય કુમાર પર કટાક્ષ કર્યો છે અને નાની ઉંમરની હીરોઈનો સાથે રોમાન્સ કરવાના કેરેક્ટરની મજાક પણ ઊડાવી છે. અગાઉ કપિલ અને અક્ષય વચ્ચે અતરંગી રે ફિલ્મના પ્રમોશન દરમિયાન અણબનાવ થયો હતો. બાદમાં સમાધાન પણ થયુ હતું અને કપિલે માફી માગી હતી. જાે કે ત્યારબાદ પણ કપિલ શર્માએ અક્ષયની ઠેકડી ઉડાડવાની તક ઝડપી લીધી હતી. આને કહેવાય કોમેડીની સાથે સાહસનું ટાઈમિંગ. કપિલ શર્માનો પોપ્યુલર કોમેડી શો થોડાક સમય માટે ઓફ એર થવાનો છે. કપિલ શર્મા, ચંદા પ્રભાકર, કૃષ્ણા અભિષેક, વિકી શારદા અને સુમોના ચક્રવર્તી સહિત આખી ટીમ અમેરિકા અને કેનેડા ટૂર પર જવાની છે. ફોરેન ટૂર દરમિયાન કપિલ શર્માના શોને ટીવી પર થોડોક સમય બ્રેક આપવાનો ર્નિણય લેવાયો છે. આ સમયગાળા દરમિયાન શેખર સુમનના કોમેડી શોને શરૂ કરવામાં આવશે. કપિલને શેખર સુમન રિપ્લેસ કરી રહ્યા છે, પરંતુ આ રીપ્લેસમેન્ટ કાયમી હોવાનું કહેવાય છે. ફોરન ટૂરથી પાછા આવ્યા પછી કપિલ શર્માનો શો ટેલિવિઝન સ્ક્રિન પર જાેવા ન મળે તેવી શક્યતા છે.

Kapil-Sharma-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *