Delhi

ભારત અને ઓમાને ૫ાંચ દિવસનો હવાઈ યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો

નવીદિલ્હી
ભારત અને ઓમાને જાેધપુરમાં પાંચ દિવસીય હવાઈ યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે, જે બંને દેશો વચ્ચે વધતા દ્વિપક્ષીય સૈન્ય સહયોગને દર્શાવે છે. ભારતીય વાયુસેનાએ ‘ઈસ્ટર્ન બ્રિજ’ અભ્યાસની છઠ્ઠી આવૃત્તિ માટે સુખોઈ-૩૦સ્દ્ભૈં, જગુઆર અને મિરાજ-૨૦૦૦ ફાઈટર જેટનો કાફલો તૈનાત કર્યો છે. તે જ સમયે, ઓમાનની રોયલ એર ફોર્સએ તેના હ્લ-૧૬ જેટ તૈનાત કર્યા છે. ભારતીય વાયુસેના (ૈંછહ્લ) એ કહ્યું, “આ બંને વાયુસેનાને તેમની ઓપરેશનલ ક્ષમતા અને આંતર-સંચાલન ક્ષમતા વધારવાની તક પૂરી પાડશે.” બંને દેશોના હવાઈ દળો દ્વારા આ દાવપેચ ઓપરેશનલ ક્ષમતાઓને વધારવાની તક પૂરી પાડશે, સાથે જ ૈંછહ્લ અને ઇછર્હ્લંની ભાગીદારી પણ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે. બંને દેશો ૨૧ ફેબ્રુઆરીથી એરફોર્સ સ્ટેશન, જાેધપુર ખાતે દ્વિપક્ષીય અભ્યાસ ઈસ્ટર્ન બ્રિજ-ફૈં માં ભાગ લઈ રહ્યા છે અને ૨૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં બંને દેશોના વાયુસેનાના વડા હાજરી આપે તેવી શક્યતા છે. તેમની ગેરહાજરીના કિસ્સામાં એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ અથવા દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આવશે. ભારત અને ઓમાન વચ્ચેના સંરક્ષણ સંબંધો થોડા વર્ષોથી મજબૂત થયા છે. ઓમાનની રોયલ નેવીના કમાન્ડર, રીઅર એડમિરલ સૈફ બિન નાસીર બિન મોહસીન અલ રહાબી, દ્વિપક્ષીય દરિયાઈ સુરક્ષા સહયોગને વધારવાના માર્ગો શોધવા માટે ગયા અઠવાડિયે ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતીય નૌકાદળ દ્વારા જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આ દરમિયાન રીઅર એડમિરલ અલ રહાબીએ વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંઘને મળ્યા અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. નિવેદન અનુસાર બંને પક્ષોએ બંને નૌકાદળો વચ્ચે દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ વધારવાના માર્ગો પર ધ્યાન આપ્યું. પ્રતિનિધિમંડળે મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડની પણ મુલાકાત લીધી હતી.

Air-force-exercise-to-strengthen-military-ties.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *