Delhi

સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ સ્થાપિત કરવી જરૂરી છે ઃ જયશંકર

નવીદિલ્હી
ભારતની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે લગભગ ત્રણ કલાક લાંબી ચર્ચા બાદ પત્રકારો સાથે વાત કરતા જયશંકરે કહ્યું, જાે આપણે બંને આપણા સંબંધોને સુધારવા માટે પ્રતિબદ્ધ છીએ, તો આ પ્રતિબદ્ધતાની સંપૂર્ણ અભિવ્યક્તિ પાછળ હટવાની પ્રક્રિયા વિશે ચાલી રહેલા સંવાદમાં પ્રતિબિંબિત થવી જાેઈએ. તેમણે કહ્યું કે પૂર્વી લદ્દાખને લઈને ભારત અને ચીન વચ્ચેની વર્તમાન સ્થિતિ પર કામ ચાલી રહ્યું છે. જાે કે તેની ઝડપ ઇચ્છિત સ્તર કરતા ધીમી છે. સરહદ પર બંને બાજુથી સૈનિકોની ભારે તૈનાતીને ધ્યાનમાં રાખીને ભારત અને ચીન વચ્ચેના સંબંધો “સામાન્ય” નથી અને સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાની જરૂર પડશે. વાંગ ગુરુવારે મુલાકાતે કાબુલથી દિલ્હી પહોંચ્યા હતા. પૂર્વી લદ્દાખના ગતિરોધ પછી લગભગ બે વર્ષમાં ચીનના કોઈ નેતાની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. જયશંકરે કહ્યું કે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે લગભગ ત્રણ કલાક સુધી વાસ્તવિક એજન્ડા પર ખુલ્લેઆમ સ્પષ્ટ અને વ્યાપક રીતે ચર્ચા થઈ. અમે અમારા દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી જે એપ્રિલ ૨૦૨૦ થી ચીનની કાર્યવાહીથી પ્રભાવિત છે, તેમણે કહ્યું. વિદેશ મંત્રીએ કહ્યું, અમે ચીનના વિદેશ મંત્રીને દેશની ભાવના જણાવી છે કે સામાન્ય સંબંધો માટે એપ્રિલ ૨૦૨૦ પહેલાની સ્થિતિ પુનઃસ્થાપિત કરવી જરૂરી છે. એક પ્રશ્નના જવાબમાં જયશંકરે સ્થાપિત નિયમો અને કરારોથી વિપરીત સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકોની હાજરીનો ઉલ્લેખ કર્યો. જયશંકરે કહ્યું, જાે તમે પૂછશો કે સ્થિતિ સામાન્ય છે કે નહીં, તો મારો જવાબ હશે ના.. તે સામાન્ય નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી આટલા મોટા પાયા પર સરહદ પર તૈનાતી રહેશે ત્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય નહીં થાય. વિદેશ મંત્રી વાંગે (સંબંધોમાં) સામાન્યતા પુનઃસ્થાપિત કરવાની ચીનની ઈચ્છા વ્યક્ત કરી અને આપણા સંબંધોના વ્યાપક મહત્વનો પણ ઉલ્લેખ કર્યો. મેં એમ પણ કહ્યું કે ભારત સ્થિર અને અપેક્ષિત સંબંધો ઇચ્છે છે, પરંતુ સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપના માટે કુદરતી રીતે શાંતિ અને સુલેહ પુનઃસ્થાપિત કરવી જરૂરી છે.ભારતે ચીનને સ્પષ્ટ કહ્યું કે, પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના બાકી રહેલા બિંદુઓથી પીછેહઠ કરવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવી જાેઈએ. સાથે જ એ વાત પર પણ ભાર મૂક્યો કે જાે સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ ‘અસામાન્ય’ હોય તો દ્વિપક્ષીય સંબંધો ‘સામાન્ય’ ન હોઈ શકે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે લગભગ ત્રણ કલાકની ‘ખુલ્લી અને સ્પષ્ટ’ વાતચીત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સામાન્ય સંબંધોની પુનઃસ્થાપના માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ-શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *