નવીદિલ્હી
ભાજપે એક પાકિસ્તાની પત્રકારના તે દાવાઓને લઇને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી અને કોંગ્રેસ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું, જેમાં પત્રકાર નુસરત ર્મિજાએ કહ્યું હતું કે તેણે સંપ્રગ સરકારના કાર્યકાળમાં ૫ વખત ભારતની યાત્રા કરી અને અહીંથી એકત્રિસ સંવેદનશીલ સૂચનાઓ પોતાના દેશની ગુપ્તચર એજન્સી ૈંજીૈં ને ઉપલબ્ધ કરાવી. આ દરમિયાન હામિદ અંસારીએ પોતાના તરફ ચિંધાઇ રહેલી આંગળીઓને શાંત કરવા માટે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે કાલે અને આજે મારા ઉપર મીડિયાના વર્ગોમાં અને ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર પ્રવક્ત્તા દ્રારા વ્યક્તિગત રૂપથી જુઠાણું ચલાવવામાં આવ્યુંક એ ભારતના ઉપરાષ્ટ્રપતિના રૂપમાં પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને આમંત્રિત કરી હતી. તે તેમને નવી દિલ્હીમાં ‘આતંકવાદ’ પર એક સંમેલનમાં મળ્યા હતા અને ઇરાનમાં રાજદૂતના રૂપમાં, મે એક એવા કેસમાં રાષ્ટ્રીય હિત સાથે વિશ્વાસઘાત કર્યો હતો, જેના માટે એક સરકારી એજન્સીના એક પૂર્વ અધિકારી દ્રારા આરોપ લગાવવામાં આવ્યા હતા. એક તથ્ય છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્રારા વિદેશી ગણમાન્ય વ્યક્તિને નિમંત્રણ સામાન્ય રીતે વિદેશ મંત્રાલયના માધ્યમથી સરકારની સલાહ પર હોય છે. મેં ૧૧ ડિસેમ્બર ૨૦૧૦ ના રોજ આતંકવાદ પર સંમેલન, ‘આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને માનવાધિકારો પર ન્યાયવિદોના આંતરરાષ્ટ્રીય સંમેલન’નું ઉદઘાટન કર્યું હતું. જેમ કે સામાન્ય પ્રથા છે, આયોજકો દ્રારા આમંત્રિતોની યાદી તૈયાર કરવામાં આવી હશે. મેં તેને ક્યારે આમંત્રિત કરી નથી અને ના તો તેને મલ્યો. સાથે જ પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઇરાનમાં રાજદૂતના રૂપમાં મારું કામ હંમેશા તત્કાલિન સરકારમાં જ્ઞાનમાં હતું. મેં આવા મુદ્દાઓમાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતાથી બંધાયેલો છું અને તેના પર ટિપ્પણી કરવાનું ટાળું છું. ભારત સરકાર પાસે બધી જાણકારી છે અને સાચુ બોલવું એકમાત્ર અધિકાર છે. આ રેકોર્ડની વાત છે કે તેહરાનમાંન મારા કાર્યકાળ બાદ મને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારત્ના સ્થાયી પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાં મારા કામને દેશ-વિદેશમાં વખાણવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગૌરવ ભાટીયાએ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાની તે કથિત ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો કે તેમણે અંસારીના નિમંત્રણ પર ભારતની યાત્રા કરી હતી અને તેમની સાથે પણ મુલાકાત કરી હતી. ભાટિયાએ પ્રેસવાર્તા દરમિયાન કહ્યું કે જાે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ઉપરાંત કોંગ્રેસ નેતા સોનિયા અને રાહુલ ગાંધી સત્તાધારી દળ દ્રારા ઉઠાવવામાં આવેલા સવાલો પર મૌન સાધતાં રહ્યા છે, તો આ ‘પાપો’ માટે તેમની સ્વિકારોક્તિ સમાન હશે.

