Gujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ
અંકલેશ્વરના આર્થિક રીતે પછાત અને મધ્યમ વર્ગીય બાળકોને રાહત દરે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે સાયન્સ ફેર યોજાયો હતો. આ દિવસ નિમિત્તે શાળાના ૧૨૬ વિદ્યાર્થીઓએ મહેનત કરીને ૭૧ મોડલ, ૩૫ વર્કિંગ મોડલ અને ૨૬ પોસ્ટર્સનું પ્રદર્શન કર્યું હતું. કૃતિઓને શિક્ષકગણ, આચાર્ય તેમજ ટ્રસ્ટીઓએ બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.અંકલેશ્વર-ઉમરવાડા રોડ પર આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ‘વર્લ્‌ડ સાયન્સ ડે’ નિમિત્તે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ૧૨૬ વિદ્યાર્થીઓએ મહેનત કરીને ૭૧ મોડલ, ૩૫ વર્કિંગ મોડલ અને ૨૬ પોસ્ટર્સનું પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામન દ્વારા રામન અસરની શોધને જીવંત કરવા દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. તેમની શોધ માટે સર સી.વી. રામનને ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *