Gujarat

જામનગરમાં આઇ.ટી.આર.એ. દ્વારા હૃદયના હુમલા બાદની તકલીફો માટે રાહત દરે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન

હૃદયનો હુમલો આવ્યો હોય અને ત્યારબાદની તકલીફો જેવી કે શ્વાસ ચડવો, છાતીમાં ઝીણો દુ:ખાવો રહેવો વગેરે જેવા લક્ષણો હોય તેવા દર્દીઓ માટે હૃદયની ક્ષમતા વધે તે હેતુથી તા.૨૭ અને ૨૮જાન્યુઆરી ૨૦૨૨ (બુધવાર અને ગુરૂવાર) સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન ઓપીડી નંબર ૧૩ આઇ.ટી.આર.એ. હોસ્પિટલ, રિલાયન્સ મોલની સામે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર ખાતે હોસ્પિટલના કાયચિકિત્સા વિભાગ દ્વારા રાહત દરે નિદાન અને સારવાર અંગેની શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેનો લાભ લેવા ડો.જોયલ પટેલ, આર.એમ.ઓ, આઇ.ટી.આર.એ. જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *