Gujarat

ઝાયડ્‌સ કેડિલાના ચેરમેન પંકજ પટેલની આરબીઆઈમાં વરણી

નવીદિલ્હી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઢઅઙ્ઘેજ ન્ૈકીજષ્ઠૈીહષ્ઠીજ ન્ૈદ્બૈંીઙ્ઘના ચેરમેન પંકજ આર. પટેલને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડમાં નિયુક્ત કર્યા છે. કંપનીએ આ અંગે મંગળવારે માહિતી આપી હતી. કેબિનેટની નિમણૂંક સમિતિએ તેમની નિમણૂકની સૂચનાની તારીખથી ચાર વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો સુધી બેમાંથી જે વહેલું હોય તે માટે નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પંકજ પટેલ હાલમાં બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ સોસાયટી, આઈ.આઈ.એમ, ઉદયપુરના અધ્યક્ષ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે. તેઓ ઈન્વેસ્ટ ઈન્ડિયા, મિશન સ્ટીયરીંગ ગ્રુપ, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ સહિત અન્ય ઘણી સંસ્થાઓના સભ્ય છે.દેશની અગ્રણી કંપનીઓમાંની એક ઝાયડસ કેડિલા તરીકે ઓળખાતી કેડિલા હેલ્થકેર લિમિટેડ એક છે. ત્યારે ઝાયડ્‌સના ચેરમનની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડમાં નિયુક્તિ કરવામાં આવી છે. ઝાયડ્‌સના ચેરમન પંકજ પટેલની ૪ વર્ષ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં વરણી કરાઈ છે. (એ.સી.સી)એ ૪ વર્ષ માટે પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *