Gujarat

માંગરોલ ના એક દરજી આધેડ પાચેક માસથી ગુમ હોય પોલીસ ફરિયાદ,,,

માંગરોળ ના એક આધેડ દરજીકામ કરતા શખ્સ પાંચેક માસ થી કયાંક ચાલ્યા ગયા હોવાથી તેના પત્ની એ માંગરોલ પોલીશ મા જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે માંગરોલ મા  શેઠ ફળિયામાં રહેતા કિશોરભાઈ તુલશીભાઇ ચૌહાણ ઉ.વ. ૫૫ પાંચેક માસ અગાઉ કોઈને પણ જાણ કર્યા વિના કયાંક ચાલ્યા ગયા છે અગાઉ પણ અનેક વાર કોઇ ને પણ કિધા વિના ચાલ્યા જતા અને થોડા સમય મા પરત આવી જતાં પરંતુ આ વખતે ઘણો લાંબો સમય થતા પરત ન  આવતા સગા સંબંધીઓ ને ત્યા તપાસ કરતા કોઇ સગડ ન મળતા તેમના પત્ની ગીતાબેને માંગરોળ પોલીસ ને જાણ કરી છે આ શખ્સ નો કોઈ ને પતો મળે તો માંગરોલ પોલીશ મા જાણ કરવા વિનંતી કરાઇ છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *