અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિને દિશા આપી છે અને તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો વિકાસ સતત થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એ વિકાસ દ્વારા દેશનું ગ્રોથ એન્જીન છે. ગુજરાતના નાગરિકોને તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અમદાવાદ એક રહેવાલાયક અને પ્રેમાળ શહેર બની ગયું છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો સમાન ગતિએ વિકાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્રણી પહેલ તરીકે નાગરિકોને મફત કોવિડ-૧૯ રસી આપવાનું તેમનું વચન પૂરું કર્યું છે. સરકાર કોરોના રોગચાળા દરમિયાન પણ નાગરિકોને મફત રસીકરણ આપીને લોકો સાથે ઉભી રહી હતી. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે ઘરે બેસીને ટેસ્ટ અને પરિણામ આપવા માટે બજેટમાં જાેગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ટેલીમેડીસીન, ડાયાબીટીસ જેવા રોગોની મફત દવાઓ, મોટા રોગોની મફત સર્જરી જેવી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સરકાર ઔદ્યોગિક વિકાસ અને રોજગારી સર્જન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતમાં શિક્ષણમાં શાળા છોડવાનું પ્રમાણ ૩૮ થી ઘટીને ૩ ટકા પર આવી ગયું છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં ઘરનું સ્વપ્ન એવા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાકાર થયું છે, જેમની પાસે ઘર નથી અથવા જેઓ નાના કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે, તેઓ ઘરની કિંમતથી સારી રીતે વાકેફ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મકાનોમાં લાઈટ, પાણી, ગેસ જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારના રોજ નરોડા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના નામકરણ અંગેના વિવાદને શાંત કરવા માટે ‘સદગુરૂ સ્વામી તેયુરામજી’ પુલ નામ આપવામાં આવ્યું છે. ઓવરબ્રિજના નામકરણને લઈને ઉદ્ઘાટન દરમિયાન દેખાવો કર્યા બાદ લગભગ ૬૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી. વી એન યાદવે (મદદનીશ પોલીસ કમિશનર, જી ડિવિઝન, અમદાવાદ) જણાવ્યું હતું કે, વિરોધીઓને નરોડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને સાંજ સુધી રાખવામાં આવ્યા હતા અને પછી છોડી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના સંબોધન દરમિયાન જાહેરાત કરી હતી કે, સિંધી સમુદાયની વિનંતી મુજબ લાંબા સમયથી રહેવાસીઓની માગ હતી, તે પુલનું નામ સદગુરૂ તેયુરામજી રાખવામાં આવ્યું છે. ઓવરબ્રિજને નામ આપવા બાબતે વિવાદ થયો હતો. જ્યારે તેની એક તરફ રહેતા દલિત સમુદાયે તેનું નામ ‘સંત શ્રી રોહિદાસ’ રાખવાની માગ કરી હતી, ત્યારે સિંધી સમુદાયે તેનું નામ ‘સદગુરૂ સ્વામી તેયુરામજી’ રાખવાની માગ કરી હતી. તાજેતરમાં છસ્ઝ્રની સ્થાયી સમિતિમાં નામને મંજૂરી આપવામાં આવી હતી. આ વિરોધને દલિત સમુદાયના મુઠ્ઠીભર રહેવાસીઓ દ્વારા બનાવવામાં આવેલા “ઉપદ્રવ” ગણાવતા, અમદાવાદના મેયર કિરીટ પરમારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આ નાટક અને ઉપદ્રવ છે, જે બધા જ નહીં પરંતુ નજીકના દલિત સમુદાયના માત્ર ૧૦-૧૫ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, નરોડા ય્ૈંડ્ઢઝ્ર પાસે અમદાવાદ-હિંમતનગર રેલ્વે લાઇન પર રૂપિયા ૧૦૩ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રૂપિયા ૨૩૯ કરોડના શહેરી વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં રૂપિયા ૧૦૩ કરોડના ખર્ચે બાંધવામાં આવેલ ઓવરબ્રિજ, રૂપિયા ૧૭ કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ અને રૂપિયા ૧૧૯ કરોડના ચાર પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ રૂપિયા ૫૫ કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ, રૂપિયા ૫૩ કરોડની ગટર યોજના, રૂપિયા ૭ કરોડ પાણી વિતરણ પ્રોજેક્ટ અને રૂપિયા ૪ કરોડનો મલ્ટીપર્પઝ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


