Gujarat

વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહાઆરતીનું લાઈવ પ્રસારણ અંબાજી મંદિર અને વાઘેશ્વરી  મંદિર થી નિહાળી શકાશે

આગામી તારીખ ૨૯/૯/૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ મહાઆરતીનું લાઈવ પ્રસારણ જૂનાગઢ જિલ્લામાં અંબાજી માતાના મંદિર ગિરનાર અને વાઘેશ્વર મંદિર  થી નિહાળી શકાશે.

તારીખ ૨૯/૯/૨૦૨૨  ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેમની આ મુલાકાત દરમિયાન જીએમડીસી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમને શ્રદ્ધાળુઓ લાઈવ પ્રસારણ જૂનાગઢ જિલ્લામાં અંબાજી માતાના મંદિરથી  અને વાઘેશ્વર મંદિર થી નિહાળી શકશે. જેનો લાભ લેવા શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *