Gujarat

વાલિયા રોડ પર ઈકોચાલકે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

ભરૂચ
મૂળ મહારાષ્ટ્રના અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલી વ્રજવીલા સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષિય સમાધાન અજાબરાવ પાટીલ પોતાની મોટરસાઇકલ નંબર-જી.જે.૧૬.એ.બી.૯૬૮૪ લઈ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલી ઇકો કાર નંબર-જી.જે.૧૬.સી.એન.૭૬૯૭ના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સમાધાન પાટીલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદથી અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસે ઇકો કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારી હતી. જેમાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું.

The-driver-got-drunk-and-took-the-auto-rickshaw-to-Adfet.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *