ગિરગઢડા
ભરત ગંગદેવ
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દેશ-વિદેશથી ભાવિકો મહાદેવને શીશ નમાવવા માટે આવી રહ્યાં છે. પવિત્ર શ્રાવણ માસમાં ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેંકૈયા નાયડુ પણ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવશે. ઉપરાષ્ટ્રપતિશ્રી દેવાધિદેવ મહાદેવના દર્શન-પુજન કરી ધન્યતા અનુભવશે. સોમનાથની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સાથે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે. આ પવિત્ર ભૂમિ જીવ અને શીવની ભૂમિ છે. જ્યાં હિરણ-કપિલા અને સરસ્વતિનો ત્રિવેણી સંગમ પણ છે.
