Gujarat

સાઉથના દિગ્ગજ અભિનેતા પૂ રામુનું નિધન થયું

મુંબઈ
૬૦ વર્ષના દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતા પૂ રામુને સોમવારના રોજ ચેન્નાઈની રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા ૨૪ જૂનના રોજ તેમનેહાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીંયા સારવાર બાદ પણ થોડા દિવસો બાદ સોમવારના રોજફરી એકવાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પૂ રામના પાર્થિવ દેહને તેમના ઘરે જ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે,જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂ રામુ છેલ્લે સુધા કાંગરા પ્રસાદ દ્વારા નિર્દેશિત સુરારાય પોત્રુમાં મોટા પડદા પર જાેવા મળ્યો હતો. ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત પૂ રામથિયેટર આર્ટિસ્ટ પણ હતા. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ પૂ રામુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.એમકે સ્ટાલિને પૂ રામનાપરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. એક નિવેદનમાં સ્ટાલિને જણાવ્યું હતું કે, રામુ એક શેરી નાટક કલાકાર હતા, જે ડાબેરી વિચારધારામાટે લોકોમાં સ્થાન બનાવવામાં સક્ષમ હતા. ફિલ્મોમાં પૂ રામુના ઉદયની વાત કરીએ તો ૨૦૦૮માં તેમણે ફિલ્મ પૂમાં કામ કર્યું હતું, આ ફિલ્મના નિર્માતા શસી હતા. આ ફિલ્મ રિલીઝથયા પછી લોકો તેને પૂ રામુ તરીકે બોલાવવા લાગ્યા હતા. ફિલ્મ નિર્માતાઓ અને ચાહકો રાજુને પૂ રામુ તરીકે બોલાવવા લાગ્યા હતા. પૂપછી, પૂ રામુએ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો, જેના માટે તે હંમેશા યાદ રહેશે.દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતા પૂ રામુનું નિધન થયું છે. તેમની તબિયત બગડતાં તેમને ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારની મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું. રિપોર્ટ અનુસાર, અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. દિગ્દર્શક શસીની ફિલ્મ પૂમાં તેમના ઉત્તમ અભિનયને કારણે પૂ રામુને વિશેષ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં પાર્વતી અને શ્રીકાંત મુખ્યભૂમિકામાં હતા. આ ફિલ્મમાં તેમના ખાસ અભિનયને કારણે તેમને પૂ રામુ મુખ્યત્વે પરીયેરમ પેરુમલ, કર્ણન, સૂરરાઈ પોત્રુ વગેરે શ્રેષ્ઠફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે.

file-01-page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *