સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા તારીખ ૧૫ મી ડિસેમ્બરના રોજ એસ. એમ. જી. કે. સંકુલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાયમરી વિભાગની બધી દીકરીઓએ ભાગ લીધો હતો જેમાં સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર કુરેશી સર, એકેડમી ડાયરેક્ટર બોદર સર, તથા પ્રિન્સિપાલ ધંધુકિયા ગુલ્ફામબેનના હસ્તે આ મેળાનું ઉદઘાટન કરી દિકરીઓ માટે ખુલ્લો મુકવામાં આવેલ. ,આ મેળાના આયોજનનો મુખ્ય ઉદેશ આ સંસ્થાની દીકરીઓમાં જીવન કૌશલ્યની ભાવના પ્રબળ બને એ હોય દિકરીઓ માટે પણ આવા મેળા પ્રેરણાદાયી બની જાય છે.


