સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આજરોજ મિલના શો રૂમની બીજી શાખાનો પ્રારંભ. સાવરકુંડલા શહેરનાં માનવમંદિરનાં ભક્તિરામ બાપુ નાં શુભ હસ્તે આ મિલના શો રૂમનું ઉદ્ઘાટન થયું. આ તકે સાવરકુંડલા શહેર નગરપાલિકાનાં પ્રમુખ પતિ રાજુભાઈ દોશી, ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી સમેત ગણમાન્ય અગ્રણીઓની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ સંપન્ન યથો. હાલ કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું પાલન કરીને આ મિલના શો રૂમનું ખૂબ સાદગીપૂર્ણરીતે ઉદ્ધાટન વિધિ સંપન્ન થઈ હતી. સર્વે પધારેલા માનવંતા આમંત્રિતોનું ભરતભાઈ જોષી તથા તેની ટીમ દ્વારા સ્વાગત સાથે મીઠો આવકાર આપેલો.


