Gujarat

સોમનાથથી ઉપડતી તમામ ટ્રેનો હવે 01 સપ્ટેમ્બરથી વેરાવળ સ્ટેશનથી ઉપડશે

 સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
સોમનાથ સ્ટેશન રિડેવલપ થવાનું છે. સોમનાથ સ્ટેશન પર રિડેવલપમેન્ટનું કામ શરૂ થઈ ગયું છે, પરંતુ ટ્રેન પરિચાલનની કામગીરી હજુ ચાલુ છે. પુનર્વિકાસ ની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે, રેલ્વે વહીવટીતંત્ર દ્વારા 01.09.2022 થી સોમનાથ સ્ટેશન સુધીની તમામ ટ્રેનોને વેરાવળ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથથી ઉપડતી તમામ ટ્રેનો હવે 01 સપ્ટેમ્બર, 2022થી વેરાવળ સ્ટેશનથી ઉપડશે. એટલે કે હવે તમામ ટ્રેનો 01.09.2022થી વેરાવળ સ્ટેશન સુધી દોડશે અને સોમનાથ સ્ટેશને જશે નહીં.હોવાનું ભાવનગર રેલવે દ્વારા પત્રકાર હરેશભાઈ સતીકુંવર ને જણાવ્યું  હતું
માશૂક અહમદ
વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક
ભાવનગર પરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *