Gujarat

અંકલેશ્વરમાં નિવૃત્ત વ્યક્તિના ખાતામાંથી ૩.૯૯ લાખની ઓનલાઈન છેતરપિંડી

ભરૂચ
અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલી હરિ દર્શન સોસાયટીમાં રહેતા અક્ષયકુમાર બિપિનચંદ્ર શાહ હાલ નિવૃત્તિનું જીવન જીવી રહ્યા છે. તેમના મોબાઈલ ફોન પર મેસેજ આવ્યો હતો, જેમાં તેમનું બીએસએનએલનું સીમકાર્ડ બ્લોક કરવામાં આવશે એમ જણાવાયું હતું. જેથી મેસેજમાં જણાવેલા નંબર પર સંપર્ક કરવાનું કહેતા અક્ષયકુમાર શાહે ફોન ધારકનો સંપર્ક કર્યો હતો. જેમાં તેણે પ્રથમ ૧૦ રૂપિયાનું રિચાર્જ કરવાનું કહી લિંક મોકલી ઓપન કરવા કહેતા અક્ષયકુમારે લિંક ઓપન કરતા ગઠિયાએ તેમના ખાતામાંથી અલગ અલગ રીતે રૂ. ૩.૯૯ લાખનું ટ્રાન્જેક્શન કરી તેમની સાથે છેતરપીંડી કરી હતી. આ છેતરપીંડી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલી હરિ દર્શન સોસાયટીના રહીશને મોબાઈલ સીમકાર્ડ બ્લોક કરવાનું કહી ગઠિયાએ રૂપિયા ૩.૯૯ લાખની ઓનલાઈન ઠગાઈ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *