Gujarat

આજે ગાંધી જયંતી નિમિત્તે આર.એન.ટી.સી.પી. ટીબી વિભાગના કર્મચારીઓ દ્વારા ગાંધીજી ની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી, તથા જિલ્લા ક્ષય કેન્દ્ર- છોટાઉદેપુર ખાતે એક દિવસના પ્રતીક ઉપવાસ પર પોતાની માંગોને લઈને ઉતર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટીબી વિભાગના કરારી કર્મચારીઓ દ્વારા તેઓની માંગોને લઈને છેલ્લા કેટલા દિવસોથી તેવો હડતાળ ઉપર ઉતર્યા છે પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આજે ગાઘી જયંતિ નિમિતે એક દિવસીય ઉપવાસ પર જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બેઠા છે અને તેઓની માંગણી છે કે વર્તમાન સમયના ધ્યાને લઇ પગાર વધારો કરવામાં આવે તેમજ લાંબા ગાળાની સેવાને ધ્યાને લઇને કમપેનસેશનની જોગવાઈ કરે નિયમોનુસાર હંગામીથી કાયમી કરવામાં આવે તેમજ કરારની ગેરબંધારણીયના શરતો દૂર કરવામાં આવે બંધારણનું અપમાન બંધ કરવામાં આવે તેમજ અન્ય માંગો પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221002-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *